Wednesday, February 04 2026 | 02:37:33 PM
Breaking News

Regional

ડૉ. મનસુખ માંડવિયા નવી દિલ્હીમાં શ્રમ મંત્રીઓ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો સાથે રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા 29-30 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં બે દિવસીય ” શ્રમ મંત્રીઓ અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો સાથે રાષ્ટ્રીય પરિષદ”ની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં શ્રમ અને રોજગાર તથા સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસોનાં રાજ્ય કક્ષાનાં મંત્રી સુશ્રી શોભા કરંદલાજે પણ હાજરી આપશે તથા સુશ્રી સુમિતા …

Read More »

મહાકુંભ 2025: મૌની અમાવસ્યા પર શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે મેળા પ્રશાસન અને પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ

મહાકુંભ 2025માં મૌની અમાવસ્યાના પવિત્ર અવસર પર પ્રયાગરાજમાં લાખો શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. તેમની સુરક્ષા અને સુવિધા માટે મેળા પ્રશાસને ખાસ વ્યવસ્થા કરી છે. ઈમરજન્સીના સંજોગોમાં મેળા પોલીસ, ટ્રાફિક પોલીસ અને ખાસ તબીબોની ટીમો 24/7 ના ભક્તોની મદદ માટે તૈનાત કરવામાં આવે છે. મહાકુંભ નગરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે મૌની અમાવસ્યા …

Read More »

અમદાવાદમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા આયોજિત ભારત રંગ મહોત્સવ 2025નું આયોજન

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) તેના ફ્લેગશિપ ભારત રંગ મહોત્સવ (BRM), ઇન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન કરી રહી છે.  જેણે 2024માં સફળતાનાં 25 વર્ષ પૂર્ણ કર્યાં છે. પ્રેમથી ‘ભારંગમ’ તરીકે ઓળખાતા બીઆરએમ વિશ્વનો સૌથી મોટો થિયેટર ફેસ્ટિવલ છે અને તે 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી, 2025 દરમિયાન અમદાવાદમાં યોજાશે. આ પથપ્રદર્શક પ્રયાસ થકી એનએસડી ગયા વર્ષની થીમ ‘વસુધૈવ કુટુમ્બકમ, વંદે ભારંગમ’ની પર આધારિત આંતરરાષ્ટ્રીય જોડાણની સાથે મહોત્સવની પહોંચ વિસ્તારી રહ્યું છે. “One Expression, Supreme Creation” (એક અભિવ્યક્તિ, સર્વોચ્ચ સર્જન)  ભારત રંગ મહોત્સવ 2025નું આ સૂત્ર સર્જનાત્મક અભિવ્યક્તિમાં એકતાની ભાવના અને સૌનું ઐકય ગુંજી ઉઠે છે. જાણીતા અભિનેતા અને એનએસડીના પૂર્વ વિદ્યાર્થી શ્રી રાજપાલ યાદવને આ વર્ષ માટે રંગ દૂત (ફેસ્ટિવલ એમ્બેસેડર) બનાવવામાં આવ્યા  છે. ગુજરાત યુનિવર્સિટીની ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સહયોગથી અમદાવાદમાં 11 ફેબ્રુઆરી, 2025ના રોજ સાંજે 6:00 વાગ્યે ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે ઉદઘાટન સમારોહ સાથે મહોત્સવનો પ્રારંભ થશે, જેની શરૂઆતમાં મારે ગયે ગુલફામ નાટક દર્શાવવામાં આવશે. અમદાવાદના કાર્યક્રમ શિડ્યૂલ પર એક નજર કરીએ: મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025 (ઉદઘાટન સમારોહ) કાર્યક્રમ: મારે ગયે ગુલફામ સમય: સાંજે 6.00 વાગ્યે લેખક: ફણીશવર નાથ રેણુ નાટ્યકાર. ડાયરેક્ટરઃ રઘુબીર યાદવ ગ્રુપ: રાયરા આર્ટ, મુંબઈ ભાષા: હિન્દી;  સમયગાળો: 120 મિનિટ બુધવાર, 12 ફેબ્રુઆરી, 2025 કાર્યક્રમ: અગ્નિ જોલ સમય: સાંજે 6:30 વાગ્યે લેખક: ગિરીશ કર્નાડ અનુવાદ: બિભાસ ચક્રવર્તી ડાયરેક્ટરઃ મનોજ કુમાર સાહા (અબીર) ગ્રુપ: નયાબાદ તિતાસ, કોલકાતા ભાષા: બંગાળી; સમયગાળો: 130 મિનિટ ગુરૂવાર, 13 ફેબ્રુઆરી, 2025 કાર્યક્રમ: ગોકુલ નિર્ગમના …

Read More »

BIS અમદાવાદ દ્વારા જ્વેલર્સ જાગૃતિ કાર્યક્રમનું આયોજન

ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે. BIS અમદાવાદ દ્વારા 23 જાન્યુઆરી 2025ના રોજ રાજસ્થાનના બાંસવાડા જિલ્લા ખાતે જ્વેલર્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હોટેલ ઉત્સવ, બાંસવાડા  ખાતે યોજાયો હતો જેમાં બાંસવાડાના 90 જ્વેલર્સે ભાગ લીધો હતો. શ્રી સંજીવ શર્મા અને શ્રી અમન રાજપૂત, BIS હોલમાર્કિંગ પ્રતિનિધિઓ,  BIS અમદાવાદએ BIS હોલમાર્કિંગ સ્કીમ, માર્ગદર્શિકા અને પ્રોગ્રામ દરમિયાન BIS હોલમાર્કિંગ રજીસ્ટ્રેશન કેવી રીતે મેળવવું અને BIS પોર્ટલ દ્વારા HUID માટે કેવી રીતે અરજી કરવી તે અંગે વિગતવાર માહિતી આપી. સહભાગીઓને BIS કેર એપ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

Read More »

ભુવનેશ્વરમાં ‘ઉત્કર્ષ ઓડિશા’ – મેક ઇન ઓડિશા કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

જય જગન્નાથ! આ કાર્યક્રમમાં ઓડિશાના રાજ્યપાલ શ્રી હરિ બાબુ, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી મંત્રીઓ, ઓડિશા સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, ઉદ્યોગ અને વેપાર જગતના અગ્રણી ઉદ્યોગસાહસિકો, દેશ અને દુનિયાના રોકાણકારો, અને ઓડિશાના મારા પ્રિય ભાઈઓ અને બહેનો! જાન્યુઆરી મહિનામાં એટલે કે 2025ની શરૂઆતમાં આ મારી ઓડિશાની બીજી મુલાકાત છે. થોડા દિવસ પહેલા જ, હું અહીં પ્રવાસી …

Read More »

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી. શ્રી અમિત શાહે પોતાની પોસ્ટ ‘X’ માં કહ્યું કે પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે સામાજિક સંવાદિતા અને સદ્ભાવનાના પ્રતીક ‘મહાકુંભ’માં પૂજ્ય સંતોની હાજરીમાં ડૂબકી લગાવ્યા પછી તેઓ અભિભૂત અને ભાવુક થઈ ગયા હતા. હું માતા …

Read More »

ભારતીય માનક બ્યુરો, અમદાવાદ દ્વારા પ્લાસ્ટિક ઉદ્યોગ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન

ભારતીય માનક બ્યુરો (BIS) આપણા દેશનું રાષ્ટ્રીય માનક સંસ્થાન છે, જેને BIS અધિનિયમ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો માટે ઉત્પાદનો, પ્રક્રિયાઓ અને સેવાઓ માટે ભારતીય માનક બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. સાથે જ, ગુણવત્તા પ્રમાણપત્ર દ્વારા માનકોના અમલને સુનિશ્ચિત કરવા કન્ફર્મિટી એસેસમેન્ટ યોજનાઓ તૈયાર કરવા અને અમલમાં મૂકવાની જવાબદારી સોંપવામાં આવી છે. BIS મિકેનિકલ, કૃષિ, રસાયણ, વિદ્યુત અને ઇલેક્ટ્રોનિક્સ, ખાદ્ય અને વસ્ત્રો સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારતીય માનકોના ઉપયોગને પ્રોત્સાહન આપવામા મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો અને સેવાઓને પ્રોત્સાહન આપવાના લક્ષ્ય સાથે, BIS ઉપભોક્તાઓ અને વ્યવસાયો વચ્ચે વિશ્વાસના લાગણી સ્થાપિત કરવા માટે મહત્ત્વનું કાર્ય કરે છે. વર્ષોથી, BIS ઉપભોક્તાઓ અને ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતોને પૂરી કરવા માટે ભારતીય માનકો વિકસાવવા અને સુધારવા માટે સતત પ્રયત્નશીલ છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોની ટીમ સાથે, BISએ સુનિશ્ચિત કર્યું છે કે ભારતીય માનકો આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ સાથે સુસંગત છે અને વૈશ્વિક બજારો માટે યોગ્ય છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ, BIS અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્ય પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન(GSPMA) અને ઓઢવ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સભ્યો માટે ઔદ્યોગિક જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પ્લાસ્ટિક ઉત્પાદન ક્ષેત્રમાં ઉદ્યોગના ધોરણો, નિયમો અને શ્રેષ્ઠ પ્રથાઓની સમજ અને જાગૃતિ વધારવાનો હતો. કાર્યક્રમની શરૂઆત ગુજરાત રાજ્ય પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન(GSPMA) ના માનનીય સચિવ શ્રી મનસુખ સાવલીયાના સ્વાગત પ્રવચનથી થઈ. શ્રી મનસુખ સાવલીયાએ આ કાર્યક્રમના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને સમગ્ર ક્ષેત્રમાં ગુણવત્તા માનકો અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગ સહયોગના મહત્વ પર ભાર મૂક્યો. BIS અમદાવાદના નિદેશક અને પ્રમુખ શ્રી સુમિત સેંગરે ઉદ્ઘાટન ભાષણ આપ્યું. શ્રી સુમિતસેંગરે પોતાના ભાષણમાં, કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ્યોની રૂપરેખા આપી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માનકોનું ઉદ્યોગ પાલન સુનિશ્ચિત કરવા માટે BIS ની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. તેમણે ભાર મૂક્યો કે પ્લાસ્ટિક ઉત્પાદન ઉદ્યોગમાં ગુણવત્તા, સલામતી અને ટકાઉપણાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે આવી જાગૃતિ પહેલ કેવી રીતે મહત્વપૂર્ણ છે. BIS ખાતે ઉપનિદેશક અને વૈજ્ઞાનિક સી શ્રી અજય ચંદેલે BIS પ્રવૃત્તિઓ અને ખાસ કરીને પ્લાસ્ટિક ઉદ્યોગને લગતા ધોરણોની ઊંડાણપૂર્વક ઝાંખી આપી. શ્રી વિપિન ભાસ્કર, સંયુક્ત નિદેશક/વૈજ્ઞાનિક ડી. એ BIS લાઇસન્સ મેળવવા માટેની પ્રક્રિયા પર વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું અને ઉત્પાદન ધોરણો જાળવવા અને ગ્રાહક સલામતી સુનિશ્ચિત કરવામાં ગુણવત્તા નિયંત્રણ આદેશોની ભૂમિકા સમજાવી. કાર્યક્રમ દરમિયાન એક ઓપન હાઉસ સત્ર પણ યોજાયું હતું જેમાં સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સહભાગીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબ શ્રી સુમિતસેંગર, BIS અમદાવાદના નિદેશક અને પ્રમુખ દ્વારા આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સમાપન ગુજરાત રાજ્ય પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન(GSPMA) દ્વારા આભારવિધિ સાથે થયું, જેમાં કાર્યક્રમની સફળતામાં યોગદાન આપનારા તમામ વક્તાઓ, સહભાગીઓ અને ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ ઔદ્યોગિક જાગૃતિ કાર્યક્રમ ગુણવત્તા માનકો, પાલન અને ઉત્પાદન પદ્ધતિઓમાં નવીનતા પ્રત્યે જાગૃતિને પ્રોત્સાહન આપીને પ્લાસ્ટિક ઉત્પાદન ઉદ્યોગને ટેકો આપવા માટે BIS અમદાવાદના પ્રયાસોને રેખાંકિત કરે છે.

Read More »

પ્રધાનમંત્રી 28 જાન્યુઆરીએ ઓડિશા અને ઉત્તરાખંડની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ ઓડિશા અને ઉત્તરાખંડની મુલાકાત લેશે. સવારે લગભગ 11 વાગ્યે, તેઓ ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે ઉત્કર્ષ ઓડિશા – મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, તેઓ ઉત્તરાખંડના દેહરાદૂન જશે અને સાંજે 6 વાગ્યે, તેઓ 38મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન કરશે. ઓડિશામાં પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા – મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કરશે. ઓડિશા સરકાર દ્વારા …

Read More »

ગૃહ મંત્રાલય અને યુવા બાબતો તેમજ ખેલ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે નહેરુ યુવા કેન્દ્ર – માય ભારત અમદાવાદ દ્વારા 16મા આદિવાસી યુવા આદન પ્રદાન કાર્યક્રમનું સમાપન

ભારત સરકારના ગૃહ મંત્રાલય તેમજ યુવા બાબતો અને ખેલ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે નહેરુ યુવા કેન્દ્ર – માય ભારત અમદાવાદ દ્વારા 16મ આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ યોજાયો. તારીખ 18 જાન્યુઆરી, 2025થી 24 જાન્યુઆરી, 2025 સુધી આયોજિત આ કાર્યક્રમ ગુજરાત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, નિકોલ, અમદાવાદ ખાતે યોજાયો. કેમ્પ આયોજકો દ્વારા ઓડિશા અને છત્તીસગઢથી …

Read More »

પી એમ શ્રી કેન્દ્રિય વિદ્યાલય અમદાવાદ છાવણી ખાતે પૂર્વ વિદ્યાર્થીઓ અને પૂર્વ શિક્ષકોનું મિલન સમારોહ યોજાયો

પી એમ શ્રી કેન્દ્રિય વિદ્યાલય અમદાવાદ છાવણી ખાતે પૂર્વ વિદ્યાર્થીઓ અને પૂર્વ શિક્ષકોનું મિલન સમારોહ 25 જાન્યુઆરી 2025ના રોજ યોજાયો હતો. આ અવસરે શાળાના 45 પૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કેન્દ્રિય વિદ્યાલય સંગઠનના અધિકારીઓએ કાર્યક્રમની શોભા વધારી હતી. સમારંભ દરમિયાન સ્વાગત ભાષણ અને સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્રિય …

Read More »