Wednesday, February 11 2026 | 07:25:56 PM
Breaking News

ટ્રાઇએ TCCCPR- 2018માં સુધારા સાથે ગ્રાહક સુરક્ષાને મજબૂત કરી

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ ટેલિકોમ કોમર્શિયલ કમ્યુનિકેશન્સ કસ્ટમર પ્રેફરન્સ રેગ્યુલેશન્સ (ટીસીસીસીપીઆર), 2018માં સુધારો કર્યો છે, જેથી અનિચ્છનીય કોમર્શિયલ કોમ્યુનિકેશન (યુસીસી) સામે ગ્રાહક સુરક્ષાને વધુ મજબૂત બનાવી શકાય. સુધારેલા નિયમનોનો હેતુ ટેલિકોમ સંસાધનોના દુરૂપયોગની વિકસતી પદ્ધતિઓ સાથે વ્યવહાર કરવાનો અને ગ્રાહકો માટે વધુ પારદર્શક વ્યાપારી સંચાર ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાનો છે. તેના અમલીકરણ પછી, TCCCPR-2018 એ બ્લોકચેન-આધારિત …

Read More »

ગુજરાતના પ્રાથમિકતા ક્ષેત્રમાં 2025-26 દરમિયાન ₹4.93 લાખ કરોડની ઋણ શક્યતાઓનું આકલન ગત વર્ષ કરતાં 40% વધુ: નાબાર્ડના મુખ્ય મહાપ્રબંધક શ્રી બી. કે. સિંઘલ

નાબાર્ડે સ્ટેટ ફોકસ પેપર જારી કરતાં આગામી વર્ષમાં રાજ્યના પ્રાથમિકતા ક્ષેત્રમાં ₹4.93 લાખ કરોડની ઋણ શક્યતાઓ વ્યક્ત કરી છે. સ્ટેટ ફોકસ પેપરનું અનાવરણ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ કર્યું હતું. નાબાર્ડના મુખ્ય મહાપ્રબંધક શ્રી બી. કે. સિંઘલે જણાવ્યું કે રાજ્યના પ્રાથમિકતા ક્ષેત્રમાં વર્ષ 2025-26માં ₹4.93 લાખ કરોડની ઋણ શક્યતાઓનું આકલન કરવામાં આવ્યું છે. આ આકલન ગયા વર્ષથી લગભગ 40% વધુ છે. શ્રી સિંઘલે જણાવ્યું કે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો નો રાજ્યમાં અમલ કરવામાં ગુજરાત સરકાર નો સંપૂર્ણ સહકાર રહે છે. સ્ટેટ ફોકસ પેપરની પ્રક્રિયા વિશે શ્રી સિંઘલે જણાવ્યું કે રાજ્યના તમામ જિલ્લાઓમાં કૃષિ, એમએસએમઇ અને પ્રાથમિકતા ક્ષેત્રની અન્ય પ્રવૃત્તિઓમાં રહેલી ઋણ શક્યતાઓનું આકલન કરવામાં આવ્યું છે અને તે ઋણ-શક્યતાઓને જોડીને રાજ્ય સ્તરીય આકલન તૈયાર કરવામાં આવ્યું છે. શ્રીમતી નિધિ શર્મા, મહાપ્રબંધક, નાબાર્ડે તેમના પ્રેઝેન્ટેશનમાં જણાવ્યું કે વર્ષ 2025-26માં રાજ્યમાં કૃષિ અને સહાયક પ્રવૃત્તિઓમાં ₹1.71 લાખ કરોડ, એમએસએમઇ ક્ષેત્રમાં ₹2.84 લાખ કરોડ અને પ્રાથમિકતા ક્ષેત્રની અન્ય પ્રવૃત્તિઓમાં ₹0.38 લાખ કરોડના ઋણોનું આકલન કરવામાં આવ્યું છે. ડૉ. અંજુ શર્મા, આઈએએસ, અધિક મુખ્ય સચિવે નાબાર્ડ દ્વારા તૈયાર કરાયેલા સ્ટેટ ફોકસ પેપરનું અનાવરણ કર્યું અને મુખ્ય અતિથિ તરીકે સેમિનારને સંબોધિત કરતાં જણાવ્યું કે ગુજરાત આર્થિક રીતે સમૃદ્ધ રાજ્યોમાંનું એક છે અને તેમાં કૃષિ ક્ષેત્રનું મહત્વપૂર્ણ યોગદાન છે. સરકાર કૃષિ ક્ષેત્રના વિકાસ સાથે સાથે ખેડૂતોની આવક વધારવા પર પણ વિશેષ ધ્યાન આપી રહી છે અને ખેડૂતો તથા ગ્રામ્ય સમુદાયોની આવક વધારવા માટે તેમને સસ્તા દરે ઋણ સુવિધાઓ મળવી અત્યંત જરૂરી છે. નાબાર્ડના સ્ટેટ ફોકસ પેપરની પ્રશંસા કરતાં ડૉ. અંજુ શર્માએ જણાવ્યું કે આ આકલનથી બેન્કોને ઋણ-પ્રવાહના સંભવિત ક્ષેત્રોની માહિતી મળશે અને જમીન સ્તરે ઋણ-પ્રવાહ વધુ અસરકારક સાબિત થશે. સ્ટેટ ફોકસ પેપરમાં જણાવાયેલા નીતિગત સૂચનો અને ઉપાયો રાજ્ય સરકારના વિભાગો માટે પણ લાભદાયી થશે. શ્રી જે. પી. ગુપ્તા, આઈએએસ, અધિક મુખ્ય સચિવે આ આકલન માટે નાબાર્ડને અભિનંદન આપ્યા અને બેન્કર્સને નાબાર્ડે જે ક્ષેત્રોની ઓળખ કરી છે, તે ક્ષેત્રોમાં ઋણ-વૃદ્ધિ માટે યોગ્ય પગલાં ભરવા અપીલ કરી. શ્રી જે. પી. ગુપ્તાએ  ગુજરાત માં નાબાર્ડ ના કાર્યોની પ્રશંસા કરી. નાબાર્ડ અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો કૃષિ, સિંચાઈ, સામાજિક માળખાકીય સુવિધાઓ અને સહકાર ક્ષેત્રમાં પરસ્પર સમન્વયથી કાર્ય કરી રહ્યા છે. શ્રી હેમંત કરૌલિયા, મુખ્ય મહાપ્રબંધક, એસબીઆઈ, શ્રી અશોક પરીખ, મહાપ્રબંધક, ભારતીય રિઝર્વ બેંક અને શ્રી અશ્વિની કુમાર, એસએલબીસી સંયોજક અને બેંક ઓફ બરોડાના મહાપ્રબંધકે પણ સેમિનારને સંબોધિત કર્યું. કાર્યક્રમમાં શ્રી જે. પી. ગુપ્તા, અધિક મુખ્ય સચિવ, જનજાતિ વિકાસ વિભાગ, ભારતીય સ્ટેટ બેંકના મુખ્ય મહાપ્રબંધક શ્રી હેમંત કરૌલિયા, ભારતીય રિઝર્વ બેંકના મહાપ્રબંધક શ્રી અશોક પરીખ, એસએલબીસી સંયોજક શ્રી અશ્વિની કુમાર, રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, વરિષ્ઠ બેન્કરો, સંશોધન સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ અને એફપીઓ અને સહકારી સમિતિઓના પ્રતિનિધિઓ હાજર હતા. શ્રી સોમેન્દ્ર સિંહ, મહાપ્રબંધક, નાબાર્ડે તમામના પ્રત્યે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે રાજ્ય સરકાર, બેન્કો અને સહકારી સંસ્થાઓના સહકારથી નાબાર્ડની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો જેમ કે- આરઆઈડીએફ, PACS કમ્પ્યુટરીકરણ, સહકારી ક્ષેત્રની વિશ્વની સૌથી મોટી ભંડારણ યોજના, નવી બહુમુખી પ્રાથમિક સહકારી સમિતિઓની રચના વગેરે સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી રહ્યા છે.

Read More »

પ્રધાનમંત્રીએ 14માં ભારત-ફ્રાંસ સીઇઓ ફોરમને સંબોધન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રાંસનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોને આજે પેરિસમાં 14માં ભારત – ફ્રાન્સ સીઇઓ ફોરમને સંયુક્તપણે સંબોધન કર્યું હતું. આ ફોરમ બંને પક્ષોની કંપનીઓના વિવિધ જૂથોના સીઇઓને એકમંચ પર લાવ્યું હતું, જેમાં સંરક્ષણ, એરોસ્પેસ, મહત્ત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અત્યાધુનિક ઉત્પાદન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, લાઇફ-સાયન્સિસ, વેલનેસ અને લાઇફસ્ટાઇલ તથા ફૂડ અને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું …

Read More »

ભારતનાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ફ્રાંસની મુલાકાત પર ભારત-ફ્રાંસનું સંયુક્ત નિવેદન

પ્રજાસત્તાક ફ્રાંસનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોનનાં આમંત્રણ પર ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10-12 ફેબ્રુઆરી, 2025નાં રોજ ફ્રાન્સની મુલાકાત લીધી હતી. 10 અને 11 ફેબ્રુઆરી, 2025ના રોજ ફ્રાન્સ અને ભારતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરી હતી, જેમાં રાષ્ટ્ર અને સરકારોના વડાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નેતાઓ, નાના અને મોટા ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, બિન-સરકારી સંસ્થાઓ, કલાકારો અને નાગરિક સમાજના સભ્યોને એકત્ર …

Read More »

પ્રધાનમંત્રીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ગઈકાલે ફ્રાંસના રાષ્ટ્રપતિના વિમાનમાં પેરિસથી માર્સેલી સુધી એક સાથે ઉડાન ભરી હતી, જે બંને નેતાઓ વચ્ચેના વ્યક્તિગત સંબંધોને પ્રતિબિંબિત કરે છે. તેમણે દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ સ્પેક્ટ્રમ અને મુખ્ય વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ પછી માર્સેલી પહોંચ્યા પછી પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો થઈ …

Read More »

પ્રધાનમંત્રી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ માર્સેલીમાં ભારતના કોન્સ્યુલેટ જનરલનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રેન્ચ રિપબ્લિકના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોને, આજે માર્સેલીમાં નવા ખુલેલા ભારતના કોન્સ્યુલેટ જનરલનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા કોન્સ્યુલેટ જનરલનું ઉદ્ઘાટન ભારત અને ફ્રાન્સ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક સીમાચિહ્નરૂપ છે. ઉદ્ઘાટન સમયે રાષ્ટ્રપતિ મેક્રોનની હાજરી એક ખાસ સંકેત હતો અને પ્રધાનમંત્રીએ તેમની …

Read More »

પ્રધાનમંત્રી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ સંયુક્ત રીતે ITER સુવિધાની મુલાકાત લીધી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોને, આજે વહેલી સવારે કેડારાચેમાં ઈન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર [ITER]ની મુલાકાત લીધી. ITERના ડિરેક્ટર જનરલ દ્વારા નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું. આજે વિશ્વના સૌથી મહત્વાકાંક્ષી ફ્યુઝન ઊર્જા પ્રોજેક્ટ્સમાંના એક – ITERની આ કોઈપણ રાષ્ટ્રના વડા અથવા સરકારના વડા દ્વારા પ્રથમ મુલાકાત હતી. મુલાકાત દરમિયાન, નેતાઓએ ITERની પ્રગતિની …

Read More »

સોનાનો વાયદો ઓલ ટાઈમ હાઈના સ્તરને સ્પર્શી અંતે રૂ.516 ગબડ્યોઃ ચાંદીના વાયદામાં રૂ.1,230નો કડાકો

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સાંજે 5-30 વાગ્યા સુધીમાં વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.96862.93 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.16737.14 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.80123.14 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 20350 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. …

Read More »

મહા કુંભ 2025માં 45 કરોડ શ્રદ્ધાળુઓ

 મહા કુંભ 2025 ઇતિહાસના સૌથી મોટા ધાર્મિક મેળાવડાઓમાંનો એક બની ગયો છે. જેમાં  11 ફેબ્રુઆરી, 2025 સુધીમાં 450 મિલિયનથી વધુ (45 કરોડ) ભક્તોએ સ્નાન વિધિમાં ભાગ લીધો હતો. રાજ્ય સરકાર 45 દિવસમાં શ્રદ્ધાળુઓની સંખ્યા 45 કરોડ સુધી પહોંચવાની અપેક્ષા રાખી રહી હતી. પરંતુ આ સંખ્યા એક મહિનાની અંદર જ પહોંચી ચૂકી છે. મહા કુંભને પૂર્ણ થવામાં હજી 15 દિવસ બાકી છે. આધ્યાત્મિક મહત્વ, ભવ્ય વિધિઓ અને અત્યાધુનિક ટેકનોલોજીના મિશ્રણ સાથે આ કુંભ મેળાએ ક્રાઉડ મેનેજમેન્ટ, સેનિટેશન અને ડિજિટલ …

Read More »

ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું

ભારત અને ઇઝરાયલનો સામાન્ય દુશ્મન આતંકવાદ છે અને બંને દેશોના વડા પ્રધાનો તેને નાબૂદ કરવા માટે એક સામાન્ય હેતુ સાથે કામ કરે છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) દ્વારા આયોજિત ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમમાં તેમના સંબોધન દરમિયાન આ વાત કહી …

Read More »