Saturday, February 14 2026 | 01:57:47 AM
Breaking News

હેન્ડ બ્લેન્ડર અને ઇલેક્ટ્રિક આયરનનું ઇ-કોમર્સ નિર્માતા પર ભારતીય માનક બ્યુરોના દરોડા

ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા હેન્ડ બ્લેન્ડર અને ઇલેક્ટ્રિક આયરન વેચતા વેપારી શ્રીનાથજી એન્ટરપ્રાઇઝ, ફ્લોર 1, બ્લોક નં. 29 દર્શન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, કોમલ ઇન્ટરનેશનલ સર્કલ પાસે, 150 ફૂટ બમરોલી રોડ ઉધના, સુરત, ગુજરાત – 395017 તારીખ 28.01.2025 ના રોજ દરોડાની કાર્યવાહી કરવામાં આવી. ભારતીય માનક બ્યુરોના માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા હેન્ડ …

Read More »

BIS અમદાવાદ દ્વારા જ્વેલર્સ જાગૃતિ કાર્યક્રમનું આયોજન

ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે. BIS અમદાવાદ દ્વારા 23 જાન્યુઆરી 2025ના રોજ રાજસ્થાનના બાંસવાડા જિલ્લા ખાતે જ્વેલર્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હોટેલ ઉત્સવ, બાંસવાડા  ખાતે યોજાયો હતો જેમાં બાંસવાડાના 90 જ્વેલર્સે ભાગ લીધો હતો. શ્રી સંજીવ શર્મા અને શ્રી અમન રાજપૂત, BIS હોલમાર્કિંગ પ્રતિનિધિઓ,  BIS અમદાવાદએ BIS હોલમાર્કિંગ સ્કીમ, માર્ગદર્શિકા અને પ્રોગ્રામ દરમિયાન BIS હોલમાર્કિંગ રજીસ્ટ્રેશન કેવી રીતે મેળવવું અને BIS પોર્ટલ દ્વારા HUID માટે કેવી રીતે અરજી કરવી તે અંગે વિગતવાર માહિતી આપી. સહભાગીઓને BIS કેર એપ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

Read More »

ભારત-ઓમાન સંયુક્ત કમિશનની બેઠક યોજાઈ; નેતાઓએ વેપાર, રોકાણ, ટેકનોલોજી, ખાદ્ય સુરક્ષા અને નવીનીકરણીય ઉર્જામાં દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે 27-28 જાન્યુઆરી 2025 દરમિયાન ઓમાનની સલ્તનતની સફળ મુલાકાત પૂર્ણ કરી. મુલાકાત દરમિયાન, શ્રી ગોયલે ઓમાનના વાણિજ્ય, ઉદ્યોગ અને રોકાણ પ્રમોશન મંત્રી મહામહિમ કૈસ બિન મોહમ્મદ અલ યુસુફ સાથે ભારત-ઓમાન સંયુક્ત કમિશન મીટિંગ (JCM)ના 11માં સત્રની સહ-અધ્યક્ષતા કરી. JCM એ વેપાર, રોકાણ, ટેકનોલોજી, ખાદ્ય સુરક્ષા, નવીનીકરણીય ઉર્જા અને અન્ય મુખ્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ઉત્પાદક ચર્ચાઓ …

Read More »

લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ લાલા લજપત રાયને પુષ્પાંજલિ અર્પણ કરી

લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં ‘પંજાબ કેસરી’ શ્રી લાલા લજપત રાયજીની જન્મજયંતિ પર તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી મલ્લિકાર્જુન ખડગે, રાજ્યસભાના ઉપાધ્યક્ષ શ્રી હરિવંશ, સંસદસભ્યો, ભૂતપૂર્વ સાંસદો, લોકસભાના મહાસચિવ શ્રી ઉત્પલ કુમાર સિંહ અને અન્ય મહાનુભાવોએ પણ લાલા લજપત રાયને પુષ્પાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે, લોકસભા …

Read More »

પ્રધાનમંત્રીએ પંજાબ કેસરી લાલા લજપત રાયને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંજાબ કેસરી લાલા લજપત રાયને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું; “તમામ દેશવાસીઓ વતી ભારત માતાના કર્મઠ પુત્ર પંજાબ કેસરી લાલા લજપત રાયને તેમની જન્મજયંતિ પર કોટિ-કોટિ વંદન. સ્વતંત્રતા ચળવળના આ મહાનાયકે વિદેશી શાસન સામે લડતા પોતાના જીવનનું બલિદાન આપ્યું. માતૃભૂમિ પ્રત્યેના …

Read More »

ભુવનેશ્વરમાં ‘ઉત્કર્ષ ઓડિશા’ – મેક ઇન ઓડિશા કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

જય જગન્નાથ! આ કાર્યક્રમમાં ઓડિશાના રાજ્યપાલ શ્રી હરિ બાબુ, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી મંત્રીઓ, ઓડિશા સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, ઉદ્યોગ અને વેપાર જગતના અગ્રણી ઉદ્યોગસાહસિકો, દેશ અને દુનિયાના રોકાણકારો, અને ઓડિશાના મારા પ્રિય ભાઈઓ અને બહેનો! જાન્યુઆરી મહિનામાં એટલે કે 2025ની શરૂઆતમાં આ મારી ઓડિશાની બીજી મુલાકાત છે. થોડા દિવસ પહેલા જ, હું અહીં પ્રવાસી …

Read More »

એમસીએક્સ પર કોટન-ખાંડીના વાયદાના ભાવમાં રૂ.450ની નરમાઈઃ મેન્થા તેલ, નેચરલ ગેસ ઢીલાં

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.42897.45 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9386.1 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.33510.39 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 19247 પોઈન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર …

Read More »

વિશ્વમાં પ્રગતિ માટે સંશોધન અને નવીનતા આવશ્યક છે: ડો.મનસુખ માંડવિયા

પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંશોધન પરિષદનું ઉદઘાટન આજે રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ચાર દિવસીય સંમેલનનો ઉદ્દેશ ભારતને વૈશ્વિક ઓલિમ્પિક ઇકોસિસ્ટમમાં એક મહત્વપૂર્ણ ખેલાડી તરીકે સ્થાપિત કરવાનો છે, જે નાણાકીય સ્થિરતા, વ્યૂહાત્મક આયોજન અને સહયોગી નેટવર્ક પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી 2036ના …

Read More »

યુવાનો અને નાગરિકોએ દેશ પ્રત્યે બલિદાન નહીં પરંતુ દેશ માટે જીવવાની જરૂર છે: ડૉ. મનસુખ માંડવિયા

ખેડા જિલ્લાનાં નડિયાદમાં આવેલી મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ કેન્દ્રીય મંત્રી, શ્રમ રોજગાર અને યુવા બાબતો – રમત ગમત વિભાગનાં મનસુખભાઈ માંડવિયાનાં મુખ્ય અતિથિ વિશેષ પદે યોજાયો હતો. આ કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, અહીંથી ડિગ્રી લીધા પછી નવો અભ્યાસક્રમ, ધંધો, વ્યવસાય તમે કરશો. તે પહેલા અહીં સુધી અભ્યાસ પૂર્ણ કરી પહોંચાડનાર તમારી યુનિવર્સિટી, પ્રોફેસરો, સ્ટાફ તરફ તમે એક કૃતજ્ઞતા અને આભારનો ભાવ વ્યક્ત કરો તેમ જણાવી નરેન્દ્ર ભાઈ મોદીના @2047ના વિઝનની વાત કરતા પાંચ પ્રણની જાણકારી આપી હતી. રાષ્ટ્ર માટે યુવાનો અને નાગરિકોએ રોડ મેપ બનાવવો જોઈએ જણાવી તેમની જવાબદારી વધી હોવાનું અને તેનાં થકી વિકસિત ભારત બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.   વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ જ નડિયાદની ભૂમિ પર સરદાર પટેલે જન્મ લીધો હતો, આજ ભૂમિ પર તમે અભ્યાસ કર્યો છે. અભ્યાસ પછીનું તમારું સ્વપ્ન સાકાર કરવું જોઈએ. કોઈપણ વ્યક્તિનું વ્યક્તિત્વ અને કર્તવ્ય એક થાય તે વ્યક્તિ મહાત્મા ગાંધી જેવો બને છે. તેમણે ઉમેર્યું હતું કે, મહાત્મા ગાંધીજીએ જણાવ્યું હતું મારું જીવન મારો સંદેશ છે. જો તમારે સફળ થવું છે તો કાર્યકર્તાનો ભાવ રાખો. મંગલ પાંડેથી શરૂઆત થયેલી આઝાદીની લડત વર્ષો સુધી ચાલી અને દેશ આઝાદ થયો છે. ત્યારે હાલમાં યુવાનો અને નાગરિકોએ દેશ પ્રત્યે બલિદાન નહીં પરંતુ દેશ માટે જીવવાની જરૂર છે. કારણ રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્યતાનું નિર્માણ, તે માટેની ભાવના- જવાબદારી એ આપણું કર્તવ્ય છે. પદવીદાન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે યુનિવર્સિટીના 29 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં બે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આ સમારંભમાં સામાજિક ક્ષેત્રે જીવનભર સેવા કરનાર ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ, વિશ્વભરમાં આર્યુવેદના પ્રચાર અને પ્રસાર કરનાર મી. માકૅ રોશેનબર્ગને (ડી.લીટ ) ની પદવી એનાયત કરાઈ હતી. ફેકલ્ટી ઓફ આયુર્વેદા, ફેકલ્ટી ઓફ નર્સિંગ, ઇન્ફોર્મેશન સાયન્સ એન્ડ મેનેજમેન્ટ, ફેકલ્ટી ઓફ પેરા મેડિકલ સાયન્સના કુલ 29 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં હતી. આ પ્રસંગે ગુજરાત સરકારનાં પૂર્વ મુખ્ય સચિવ પ્રવીણ લહેરી, આરએસએસના વેસ્ટન રીઝીયન સંઘ સંચાલક ડો. જયંતભાઈ ભાડેશીયા, ડો. અનિલ કુમાર નાયક, નેશનલ પ્રેસિડેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, યુનિવર્સિટીના પ્રમુખ ભાસ્કરભાઈ દેસાઈ, પ્રોવોસ્ટ પ્રો ડો. એસ એન ગુપ્તા સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Read More »

HMoJS શ્રી સી. આર. પાટીલે નવી દિલ્હીમાં “પાણીના ઉપયોગની કાર્યદક્ષતાઃ સ્થાયી ભવિષ્ય માટે વ્યૂહરચનાઓ” વિષય પર કાર્યશાળાનું ઉદઘાટન કર્યું

જલ શક્તિ મંત્રાલયના નેશનલ વોટર મિશન (NWM) હેઠળ બ્યુરો ઓફ વોટર યુઝ એફિશિયન્સી (BWUE)એ ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિયેશન (આઇપીએ) સાથે મળીને સ્થાનિક જળ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને “વોટર યુઝ એફિશિયન્સી: સ્ટ્રેટેજીઝ ફોર અ સસ્ટેઇનેબલ ફ્યુચર” શીર્ષક હેઠળ એક દિવસીય વર્કશોપનું આયોજન કર્યું હતું. આ વર્કશોપ એનડીએમસી કન્વેન્શન સેન્ટર, પાલીકા કેન્દ્ર, સંસદ માર્ગ, નવી દિલ્હી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનું ઉદઘાટન માનનીય કેન્દ્રીય …

Read More »