Friday, January 23 2026 | 07:00:14 PM
Breaking News

Tag Archives: Guru Tegh Bahadur

ઉપરાષ્ટ્રપતિએ શ્રી ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી પર્વ નિમિત્તે આયોજિત આંતરધર્મ સંમેલનમાં વૈશ્વિક શાંતિ અને ધાર્મિક સદભાવના માટે આહવાન કર્યું

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીમાં શ્રી ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી પર્વ નિમિત્તે આયોજિત એક આંતરધર્મ સંમેલનને સંબોધિત કર્યું હતું. તેમણે આ સંમેલનમાં સહભાગી થવાને એક ગૌરવપૂર્ણ સન્માન ગણાવ્યું હતું અને તેને શાંતિ, માનવ અધિકારો અને ધાર્મિક સદભાવના માટેનું વૈશ્વિક આહવાન ગણાવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ શ્રી ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી પર્વ પર ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબની તેમની મુલાકાતને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે શ્રી ગુરુ તેગ બહાદુરજીને નૈતિક હિંમતના દીવાદાંડી તરીકે વર્ણવ્યા હતા, જેમનું જીવન અને બલિદાન સમગ્ર માનવજાત માટે છે. ગુરુ તેગ બહાદુરજીની શહીદીનો ઉલ્લેખ કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે તે ધાર્મિક સ્વતંત્રતાના ઇતિહાસના સૌથી અસાધારણ સમર્થન તરીકે ઊભું છે. તેમણે નોંધ્યું કે ગુરુ તેગ બહાદુરજીએ રાજકીય સત્તા અથવા કોઈ એક માન્યતાના વર્ચસ્વ માટે નહીં, પરંતુ વ્યક્તિના પોતાના અંતરાત્મા મુજબ જીવવા અને પૂજા કરવાના અધિકારના રક્ષણ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તેમણે ઉમેર્યું કે ભારે અસહિષ્ણુતાના સમયમાં તેઓ પીડિતો માટે રક્ષક (shield) તરીકે ઊભા રહ્યા હતા. ગુરુ તેગ બહાદુરજીના સંદેશની કાલાતીત સુસંગતતા પર ભાર મૂકતા શ્રી સી. પી. રાધાકૃષ્ણને કહ્યું કે ગુરુ તેગ બહાદુરજીએ વિશ્વને શીખવ્યું કે કરુણા દ્વારા માર્ગદર્શિત હિંમત સમાજને બદલી શકે છે, અને અન્યાય સામે મૌન રહેવું એ સાચી શ્રદ્ધા સાથે અસંગત છે. આ શાશ્વત મૂલ્યોને કારણે જ ગુરુ તેગ બહાદુરજી માત્ર શીખ ગુરુ તરીકે જ નહીં, પરંતુ સર્વોચ્ચ બલિદાન અને નૈતિક હિંમતના વૈશ્વિક પ્રતીક તરીકે પૂજાય છે અને તેમને ‘હિંદ દી ચાદર’ ના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા છે. …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કુરુક્ષેત્ર, હરિયાણા ખાતે શ્રી ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી દિવસ પર સંબોધન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના કુરુક્ષેત્ર ખાતે શ્રી ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી દિવસની ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કર્યો. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે આજનો દિવસ ભારતના વારસાના એક નોંધપાત્ર સંગમ તરીકે આવ્યો છે. તેમણે પ્રકાશિત કર્યું કે સવારે તેઓ રામાયણના શહેર અયોધ્યામાં હતા, અને હવે તેઓ ગીતાના શહેર કુરુક્ષેત્રમાં છે. તેમણે …

Read More »