गुरुवार, सितंबर 10 2026 | 12:23:49 PM

ભારતના રાષ્ટ્રપતિએ વર્ષ 2024 માટે દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રદાન કર્યા

Saransh Kanaujia
Saransh Kanaujia - Editor
2 Min Read

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(3 ડિસેમ્બર, 2024) આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ વ્યક્તિઓના દિવસના અવસર પર નવી દિલ્હીમાં વર્ષ 2024 માટે દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રદાન કર્યા.

આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ તમામ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આ પુરસ્કારો દૂરગામી સામાજિક મહત્વ ધરાવે છે. તેમનું અનુકરણ કરીને અન્ય વ્યક્તિઓ અને સંસ્થાઓ દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણની દિશામાં આગળ વધી શકે છે.

આ વર્ષના આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ વ્યક્તિઓના દિવસની થીમ ‘સમાવેશક અને ટકાઉ ભવિષ્ય માટે દિવ્યાંગ વ્યક્તિઓના નેતૃત્વને પ્રોત્સાહન આપવા’નો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે દિવ્યાંગજનોમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવું, તેમના કૌશલ્યોનો વિકાસ કરવો, રોજગારી પૂરી પાડવી, તેમના ઉત્પાદનોની ખરીદી કરવી, અને માર્કેટિંગ સુવિધાઓ પ્રદાન કરીને તેમની નેતૃત્વ ક્ષમતામાં વધારો કરવો જોઈએ.

રાષ્ટ્રપતિએ કહ્યું કે સમગ્ર માનવતાએ દિવ્યાંગજનોને સહજ અને સમાન અનુભવ કરાવવો જોઈએ. તેમને દરેક રીતે અવરોધ મુક્ત વાતાવરણ પૂરું પાડવું એ સમાજની પ્રાથમિકતા હોવી જોઈએ. ખરા અર્થમાં તે સમાજ જ સંવેદનશીલ કહી શકાય જેમાં દિવ્યાંગજનોને સમાન સુવિધાઓ અને તકો મળે છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે દિવ્યાંગ હોવું એ કોઈ પણ પ્રકારની ખોટ નથી. તે એક ખાસ સ્થિતિ છે. દિવ્યાંગજનોને સહાનુભૂતિની નહીં, તાદાત્મ્યની જરૂર છે, તેમને દયાની નહીં, સંવેદનશીલતાની જરૂર છે, તેમને વિશેષ ધ્યાનની નહીં, સ્વભાવિક સ્નેહની જરૂર છે. સમાજે તે સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓ સમાજના અન્ય સભ્યો સાથે સમાનતા, પ્રતિષ્ઠા અને આદર અનુભવે છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે અન્ય વ્યક્તિની જેમ કામ કરવાની તક દિવ્યાંગજનોમાં આત્મવિશ્વાસ અને અર્થપૂર્ણ જીવન જીવવાની ભાવના જગાડે છે. આમ, રોજગાર, સાહસ અને આર્થિક સશક્તિકરણ દ્વારા તેમના જીવનને ઉમદા બનાવી શકાય છે.

Related Post

Share This Article
Follow:
लेखक वर्ष 2011 से पत्रकारिता के क्षेत्र में सक्रिय हैं। अब तक वे इतिहास से जुड़ी चार पुस्तकों का लेखन कर चुके हैं—‘भारत : 1857 से 1957 इतिहास पर एक दृष्टि’, ‘भारत : 1885 से 1950 इतिहास पर एक दृष्टि’, ‘गाँधी जी की राजनीतिक यात्रा के कुछ पन्ने’ और ‘1857 का स्वतंत्रता समर – कारण से परिणाम तक’। पत्रकारिता के क्षेत्र में वे विशेष रूप से राजनीति, अर्थव्यवस्था, सामाजिक विषयों और आध्यात्म से जुड़े समाचारों एवं विषयों पर लेखन करते रहे हैं। वर्षों के पत्रकारिता अनुभव और विभिन्न विषयों पर निरंतर लेखन के माध्यम से उन्होंने समसामयिक घटनाओं के साथ-साथ ऐतिहासिक, सामाजिक और आध्यात्मिक विषयों को भी पाठकों तक पहुँचाने का प्रयास किया है।