Sunday, May 17 2026 | 10:47:29 PM
Breaking News

ગરીબ કલ્યાણ માટે સમર્પિત એક સહાનુભૂતિદર્શક સરકાર : નરેન્દ્ર મોદી

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર પરિવર્તનશીલ અને સમાવેશી શાસનના 11 વર્ષ ઉજવી રહ્યું છે, ત્યારે ગરીબ કલ્યાણ પ્રત્યે એનડીએ સરકારની અતૂટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે સશક્તિકરણ, માળખાગત સુવિધાઓ અને સમાવેશ પર ધ્યાન કેન્દ્રિત કરતી એક સહાનુભૂતિદર્શક સરકારે 25 કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

પ્રધાનમંત્રીએ પીએમ આવાસ યોજના, પીએમ ઉજ્જવલા યોજના, જન ધન યોજના અને આયુષ્માન ભારત જેવી પરિવર્તનશીલ યોજનાઓના પ્રભાવ પર પણ પ્રકાશ પાડ્યો, જેણે આવાસ, સ્વચ્છ રસોઈ ઇંધણ, બેંકિંગ અને આરોગ્યસંભાળની પહોંચનો વિસ્તાર કર્યો છે. તેમણે લાભોની પારદર્શક અને કાર્યક્ષમ ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT), ડિજિટલ સમાવેશ અને ગ્રામીણ માળખાગત સુવિધાઓના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

” ગરીબ કલ્યાણ માટે સમર્પિત એક સહાનુભૂતિદર્શક સરકાર!

છેલ્લા દાયકામાં, એનડીએ સરકારે ગરીબીમાંથી ઘણા લોકોને બહાર કાઢવા માટે પથપ્રદર્શક પગલાં લીધાં છે, જેમાં સશક્તિકરણ, માળખાગત સુવિધાઓ અને સમાવેશ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અમારી બધી મુખ્ય યોજનાઓએ ગરીબોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. પીએમ આવાસ યોજના, પીએમ ઉજ્જવલા યોજના, જન ધન યોજના અને આયુષ્માન ભારત જેવી પહેલોએ આવાસ, સ્વચ્છ રસોઈ ઇંધણ, બેંકિંગ અને આરોગ્યસંભાળની પહોંચમાં વધારો કર્યો છે. ડીબીટી, ડિજિટલ સમાવેશ અને ગ્રામીણ માળખાગત સુવિધાઓ પર ભાર મૂકવાથી પારદર્શિતા અને છેવાડાના લોકો સુધી લાભોની ઝડપી ડિલિવરી સુનિશ્ચિત થઈ છે.

આના કારણે જ 25 કરોડથી વધુ લોકોએ ગરીબીને હરાવી છે. એનડીએ એક સમાવિષ્ટ અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે પ્રતિબદ્ધ છે, જ્યાં દરેક નાગરિકને ગૌરવ સાથે જીવવાની તક મળે છે.

#11YearsOfGaribKalyan”

About Matribhumi Samachar

Check Also

PM સૂર્ય ઘર યોજના 2026: હવે 31 લાખથી વધુ ઘરોમાં લાગ્યા સોલાર પેનલ, જાણો નવી સબસિડી અને અરજી પ્રક્રિયા

ભારત સરકારની PM સૂર્ય ઘર: મફત વીજળી યોજના દેશના ઊર્જા ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહી છે. …