Tuesday, June 23 2026 | 08:26:59 PM
Breaking News

ઉત્તર ગુજરાત પોસ્ટલ પરિક્ષેત્રે નાણાકીય વર્ષ 2025-26માં ₹246.79 કરોડની રેવેન્યુ હાંસલ કરી, 25% ની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી

Connect us on:

ઉત્તર ગુજરાત પોસ્ટલ પરિક્ષેત્ર, અમદાવાદે પોતાના ઉત્તમ કાર્યોથી બહુઆયામી ઉપલબ્ધિઓનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.  પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવના નેતૃત્વ હેઠળ ‘ડાક સેવા, જન સેવા’ના મૂળ મંત્રને સાર્થક બનાવતાં નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કુલ ₹246.79 કરોડની રેવેન્યુ પ્રાપ્ત કરવામાં આવી, જે ગયા નાણાકીય વર્ષ કરતાં 25.07%ની પ્રભાવશાળી વૃદ્ધિ દર્શાવે છે. ક્ષેત્રીય કાર્યાલય, અમદાવાદ ખાતે યોજાયેલી સમીક્ષા બેઠક દરમિયાન જાણ કરવામાં આવી કે ડાક નિદેશાલય દ્વારા નિર્ધારિત તમામ 7 વર્ટીકલ માં નોંધપાત્ર કામગીરી નોંધાઈ છે. આ દરમિયાન પોસ્ટ ઓફિસ બચત બેંકમાં ₹101 કરોડની આવક પ્રાપ્ત થઈ, જે ગયા વર્ષની તુલનામાં 3.06% વધુ છે.  ડાક જીવન વીમામાં ₹9.86 કરોડ અને ગ્રામિણ ડાક જીવન વીમામાં ₹6.57 કરોડની રેવેન્યુ પ્રાપ્ત થઈ, જેમાં અનુક્રમે 28.68% અને 15.78%નો વધારો નોંધાયો છે. મેલ ઓપરેશન અને પાર્સલમાં અનુક્રમે ₹59.04 કરોડ અને ₹48.20 કરોડની રેવેન્યુ પ્રાપ્ત થઈ, જે ગયા વર્ષની તુલનામાં અનુક્રમે 21.17% અને 190.12%ની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય મેલમાં ₹8.55 કરોડની રેવેન્યુ પ્રાપ્ત થઈ, જે વૈશ્વિક સ્તરે પોસ્ટલ સેવાઓના વિસ્તરણ અને વધતી માંગને પ્રતિબિંબિત કરે છે. નાગરિક-કેન્દ્રિત સેવાઓમાં ₹13.47 કરોડની રેવેન્યુ પ્રાપ્ત થઈ, જે ગયા વર્ષની તુલનામાં 23.74%ની વૃદ્ધિ દર્શાવે છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવના નેતૃત્વ હેઠળ ગયા વર્ષે ‘પોસ્ટલ વોરિયર્સ’ અભિયાન ચલાવી પોસ્ટ ઓફિસ દ્વારા નાણાકીય સમાવેશ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. પરિણામે, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં 8.84 લાખ નવા પોસ્ટ ઓફિસ બચત બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા, અને સાથે જ કુલ બચત બેંક ખાતાઓની સંખ્યા 43 લાખને પાર પહોંચી ગઈ.  પ્રથમ વખત પોસ્ટ ઓફિસ બચત બેંકની આવક ₹100 કરોડને પાર કરીને ₹101 કરોડ સુધી પહોંચી ગઈ છે. અમદાવાદ શહેર મંડળે ઉત્તમ કામગીરી કરતાં સમગ્ર ગુજરાતમાં ગયા વર્ષે સર્વાધિક 2.94 લાખ નવા ખાતાઓ ખોલીને અગ્રણી સ્થાન મેળવ્યું છે. 26 હજારથી વધુ લોકોએ ડાક જીવન વીમા અને ગ્રામિણ ડાક જીવન વીમાની પોલિસીઓ લીધી છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના 1,110 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’, 400 ગામોને ‘સંપૂર્ણ બચત ગ્રામ’ અને 791 ગામોને ‘સંપૂર્ણ વીમા ગ્રામ’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપલબ્ધિઓ ગ્રામિણ વિસ્તારોમાં નાણાકીય સમાવેશ, સામાજિક સુરક્ષા અને બચતની ભાવનાને પ્રોત્સાહિત કરવા માટે પોસ્ટ વિભાગના સતત પ્રયાસોને દર્શાવે છે.

ઈન્ડિયા પોસ્ટ દ્વારા નાગરિક-કેન્દ્રિત સેવાઓના ક્ષેત્રમાં પણ નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે. પોસ્ટ ઓફિસ દ્વારા નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ઉત્તર ગુજરાતમાં 4.19 લાખ લોકોને આધાર સેવાઓનો લાભ આપવામાં આવ્યો, જેમાંથી 3.31 લાખ લોકોએ પોસ્ટ ઓફિસ કાઉન્ટર પરથી અને 88 હજાર લોકોએ સીઇએલસી મારફતે ડોરસ્ટેપ આધાર સેવાઓ પ્રાપ્ત કરી. આ ઉપરાંત, પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો દ્વારા કુલ 68,702 પાસપોર્ટ અરજીઓ પ્રોસેસ કરવામાં આવી. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રની આ ઉપલબ્ધિઓ પોસ્ટ વિભાગની સેવા ગુણવત્તા, પારદર્શિતા, નવીનતા અને જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે, જે સમાજના તમામ વર્ગોને સશક્ત બનાવવા માટે સતત કાર્યરત છે.

સહાયક નિદેશક શ્રી વી. એમ. વહોરાએ જણાવ્યું કે પોસ્ટલ સેવાઓની પહોંચ અંતિમ વ્યક્તિ સુધી સુનિશ્ચિત કરવા માટે ‘રાષ્ટ્રીય ડાક સપ્તાહ’, સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ સહિત વિવિધ અવસરો પર ઉત્તર ગુજરાતમાં કુલ 6,771 ડાક ચોપાલોનું આયોજન કરવામાં આવ્યું. સહાયક નિદેશક શ્રી અલ્પેશ શાહે જણાવ્યું કે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવના નેતૃત્વ હેઠળ ‘પોસ્ટલ વોરિયર્સ’ અભિયાન અંતર્ગત ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના તમામ 1905 બ્રાંચ પોસ્ટ ઓફિસને “સિલ્વર પોસ્ટલ વોરિયર”, 1704 બ્રાંચ પોસ્ટઓફિસને “ગોલ્ડ વોરિયર”, 190 બ્રાંચ પોસ્ટઓફિસને “ડાયમંડ વોરિયર” અને 48 બ્રાંચ પોસ્ટઓફિસને “પ્લેટિનમ વોરિયર” તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપલબ્ધિ પરિક્ષેત્રના તમામ મંડલાધીક્ષકો, ઉપમંડલાધીક્ષકો, પોસ્ટમાસ્ટરો, બ્રાંચ પોસ્ટમાસ્ટરો તેમજ ફિલ્ડ સ્ટાફના સંયુક્ત પ્રયાસો, ઉત્તમ સમન્વય અને મજબૂત ટીમ ભાવનાનું પ્રતિફળ છે.

About Matribhumi Samachar

Check Also

ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ: પીએમ મોદીએ અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ, સંસ્કૃત સુભાષિત દ્વારા સમજાવ્યું ત્યાગનું મહત્વ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ (23 જૂન) નિમિત્તે તેમને …