Monday, June 22 2026 | 02:40:19 PM
Breaking News

Business

કેન્દ્રીય મંત્રીમંડળે નવીનીકરણીય ઊર્જા વૃદ્ધિને વેગ આપવા માટે NLCIL માટે રોકાણમાં છૂટને મંજૂરી આપી

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ NLC ઇન્ડિયા લિમિટેડ (NLCIL)ને નવરત્ન સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ (CPSE) પર લાગુ પ્રવર્તમાન રોકાણ માર્ગદર્શિકામાંથી ખાસ મુક્તિ આપી છે. આ વ્યૂહાત્મક નિર્ણય NLCIL ને તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, NLC ઇન્ડિયા રિન્યુએબલ્સ લિમિટેડ (NIRL) માં રૂ. 7,000 કરોડનું રોકાણ કરવાની મંજૂરી આપે છે અને બદલામાં NIRL ને હાલની સત્તાઓના પ્રતિનિધિમંડળ હેઠળ પૂર્વ મંજૂરીની જરૂરિયાત વિના, વિવિધ પ્રોજેક્ટ્સમાં …

Read More »

કેન્દ્રીય કાપડ મંત્રી શ્રી ગિરિરાજ સિંહે જાપાનમાં ઉદ્યોગ જોડાણને મજબૂત બનાવ્યું અને ટોક્યોમાં ઇન્ડિયા ટ્રેન્ડ ફેર 2025નું ઉદ્ઘાટન કર્યું

જાપાનની સત્તાવાર મુલાકાતના બીજા દિવસે, કેન્દ્રીય કાપડ મંત્રી શ્રી ગિરિરાજ સિંહે મુખ્ય જાપાની કંપનીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકોની શ્રેણી યોજી અને 15 જુલાઈ 2025ના રોજ ટોક્યોમાં 16મા ઇન્ડિયા ટ્રેન્ડ ફેર 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. આ મેળો ભારતીય કાપડ નિકાસકારો માટે જાપાની ખરીદદારો સાથે સીધા જોડાવા માટે સૌથી મોટા પ્લેટફોર્મ પૈકીનો એક છે અને તેનાથી દ્વિપક્ષીય કાપડ …

Read More »

આજે, દેશમાં જે સ્ટાર્ટઅપ્સ, નવીનતા અને સંશોધન વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે તે દેશના યુવાનોની ક્ષમતાઓમાં વધારો કરી રહ્યું છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળાને સંબોધિત કર્યો અને વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000 થી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. સભાને સંબોધતા તેમણે ભાર મૂક્યો હતો કે, આજે ભારત સરકારના વિવિધ વિભાગોમાં આ યુવાનો માટે નવી જવાબદારીઓની શરૂઆતનો દિવસ છે. તેમણે વિવિધ વિભાગોમાં જોડાતા યુવાનોને અભિનંદન આપ્યા હતા અને ભાર …

Read More »

બેંકોને નિષ્ક્રિય પીએમ જન ધન યોજના ખાતાઓ બંધ કરવા માટે કોઈ નિર્દેશ આપવામાં આવ્યા નથી : નાણાકીય સેવાઓ વિભાગ, નાણાં મંત્રાલય

નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ (DFS) દ્વારા બેંકોને નિષ્ક્રિય પીએમ જન ધન યોજના ખાતાઓ બંધ કરવાનું કહેવામાં આવ્યું હોવાના અહેવાલોના સંદર્ભમાં, નાણાકીય સેવાઓ વિભાગે કહ્યું છે કે, તેણે બેંકોને નિષ્ક્રિય પીએમ જન ધન યોજના ખાતાઓ બંધ કરવાનું કહ્યું નથી. જન ધન યોજના ખાતાઓ, જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજના અને અન્ય કલ્યાણકારી યોજનાઓને …

Read More »

ભારતીય કેરી નિકાસને પ્રોત્સાહન આપવા માટે APEDA દ્વારા અબુ ધાબીમાં ‘ઇન્ડિયન મેંગો મેનિયા 2025’નું આયોજન

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) એ ભારતીય કૃષિ ઉત્પાદનો, ખાસ કરીને કેરીની વૈશ્વિક હાજરી વધારવાના તેના ચાલુ પ્રયાસોના ભાગ રૂપે અબુ ધાબીમાં કેરી પ્રમોશન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ‘ઇન્ડિયન મેંગો મેનિયા 2025’નો પ્રારંભ થયો – જે UAEમાં ભારતીય દૂતાવાસ અને લુલુ ગ્રુપના સહયોગથી …

Read More »

જૂન 2025માં કેપ્ટિવ અને કોમર્શિયલ ખાણોમાંથી માસિક ઉત્પાદન અને ડિસ્પેચ

જૂન મહિનામાં કેપ્ટિવ અને કોમર્શિયલ ખાણોમાંથી કોલસાનું ઉત્પાદન 15.57 મિલિયન ટન (MT) નોંધાયું છે, અને ડિસ્પેચ 17.31 મિલિયન ટન (MT) નોંધાયું છે. નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે મજબૂત વૃદ્ધિ જોવા મળી છે, જેમાં ઉત્પાદનમાં 16.39% અને ડિસ્પેચમાં ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 13.03%નો વધારો થયો છે. આ સુધારેલી કાર્યક્ષમતા અને ખાણકામ ક્ષમતાના વધુ સારા ઉપયોગને પ્રતિબિંબિત કરે છે. સંલગ્ન ગ્રાફ સ્પષ્ટપણે પ્રથમ …

Read More »

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલે સી-ફ્લડ, એકીકૃત પૂર પુર્વાનુમાન પ્રણાલીનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય મંત્રી, જળ શક્તિ દ્વારા એકીકૃત Flood inundation Model (FIM) ડિસેમિનેશન પોર્ટલનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે આજે પુણેના સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (C-DAC) અને સેન્ટ્રલ વોટર કમિશન (CWC), જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ (DoWR, RD & GR), જળ શક્તિ મંત્રાલય દ્વારા સહયોગથી વિકસાવવામાં આવેલી એકીકૃત જળ પૂર આગાહી પ્રણાલી, …

Read More »

TRAIએ મે 2025 માટે સ્વતંત્ર ડ્રાઇવ ટેસ્ટ (IDT) રિપોર્ટમાંથી તારણો જાહેર કર્યા, 13 શહેરો અને રૂટ્સનું મૂલ્યાંકન કરવામાં આવ્યું

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ આજે ​​મે 2025માં હાથ ધરવામાં આવેલા સ્વતંત્ર ડ્રાઇવ ટેસ્ટ (IDTs)ના પરિણામો જાહેર કર્યા, જેમાં આઠ લાઇસન્સ્ડ સર્વિસ એરિયા (LSA)માં 13 શહેરો, હાઇવે, રેલ્વે અને કોસ્ટલ કોરિડોરનો સમાવેશ થાય છે. તેર શહેરો, હાઇવે, રેલ્વે અને કોસ્ટલ વિસ્તાર રાંચી શહેર અને લાતેહાર જિલ્લો, અમદાવાદ શહેર, અમદાવાદથી ભાવનગર સુધીનો રેલ્વે રૂટ, ઘોઘા બંદર પરનો કોસ્ટલ વિસ્તાર, ભાવનગર, પાણીપત શહેર, ઉના અને …

Read More »

2024-25માં રેકોર્ડ કુલ GST કલેક્શન; સર્વેમાં 85% ઉદ્યોગ સ્વીકૃતિ મળી

પરિચય 1 જુલાઈ, 2025ના રોજ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) અમલીકરણના આઠ વર્ષ પૂર્ણ કરશે. 2017માં આર્થિક એકીકરણ તરફ એક મુખ્ય પગલા તરીકે રજૂ કરાયેલ, GST એ પરોક્ષ કરના ભુલભુલામણીને એકલ, એકીકૃત સિસ્ટમ સાથે બદલી નાખ્યું. તેણે કર પાલનને સરળ બનાવ્યું, વ્યવસાયો માટે ખર્ચ ઘટાડ્યો અને માલને રાજ્યોમાં મુક્તપણે ખસેડવાની મંજૂરી આપી. પારદર્શિતા અને કાર્યક્ષમતામાં સુધારો કરીને GST …

Read More »

મેડટેક અને બાયોમેડિકલ MSMEs, સ્ટાર્ટઅપ્સ અને મલ્ટિનેશનલ્સ IIT ગાંધીનગરના ORBIT ખાતે એકત્રિત થયા

IIT ગાંધીનગર (IITGN)એ 28મી જૂન 2025ના રોજ તેની મુખ્ય દ્વિમાસિક ઇન્ડસ્ટ્રી મીટ, ORBITનો શુભારંભ કર્યો, જેમાં માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝીસ (MSMEs), સ્ટાર્ટઅપ્સ, મલ્ટિનેશનલ કંપનીઓ અને IITGNના હિતધારકો એકત્રિત થયા હતા. આ કાર્યક્રમનો ઉદ્દેશ વ્યૂહાત્મક સહકાર, ઉદ્યોગની જરૂરિયાતોની સમજ અને ઉચ્ચ વૃદ્ધિ ધરાવતા ક્ષેત્રોમાં ટેક્નોલોજી વિકાસને આગળ વધારવાનો હતો. ORBIT (Outreach, Research, Breakthrough, Innovation, and Technology)ના પ્રથમ સંસ્કરણમાં બાયોમેડિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગના માર્ગો, ફંડિંગ મિકેનિઝમ અને નિયમન સંબંધિત પડકારો પર ચર્ચા કરવામાં આવી. ઉપરાંત, પરીક્ષણ, ઉત્પાદન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક્સેસ અને ટકાઉ ભાગીદારીમાં પડકારોનો સામનો કરવા માટે પ્રોત્સાહન, નીતિ ઘડવાની પ્રક્રિયા, અને સંરચનાત્મક પરિવર્તનની જરૂરિયાત પર પણ ચર્ચા કરવામાં આવી. પ્રતિનિધિઓનું સ્વાગત કરતા, પ્રોફેસર અમિત પ્રશાંત, ડીન, સંશોધન અને વિકાસ, એ “શૈક્ષણિક સંસ્થાનો અને ઉદ્યોગો વચ્ચેના સમય અને સંકલનના અંતરને દૂર કરવા” તેમજ વિશ્વાસના આધાર પર ભાગીદારી સ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. IITGNના ફેકલ્ટીઑ, સંસ્થાના રિસર્ચ પાર્ક, ઇનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ સેન્ટર, ઇન્ડસ્ટ્રી કનેક્ટ અને કેરિયર ડેવલપમેન્ટ સેલના હિતધારકો, MSMEs, ફાર્મા કંપનીઓ, અને સ્ટાર્ટઅપ્સના પ્રતિનિધિઓ આ સંવાદમાં જોડાયા હતા. આ ચર્ચાઓ દરમિયાન, ઉત્પાદનીકરણ, પેટન્ટિંગ અને અનુવાદી પ્રવૃત્તિઓને વેગ આપવા માટે નીતિ અને સૂચિત પ્રક્રિયાઓની જરૂરિયાત અંગે ચર્ચા કરવામાં આવી. ઉપરાંત, Zydus Lifesciences, Cadila Pharmaceuticals, Biotech Vision Care, Axio Biosolutions, IOTA Diagnostic, Salvo India, Spotdot Bioinnovations અને અન્ય દ્વારા અનેક સમસ્યા નિવેદનો રજૂ કરવામાં આવ્યા. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી તક અંગે વાત કરતાં, ડો. આનંદ એન. ભાડલકર, ડિરેક્ટર, સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર (STBI)એ આરોગ્ય અને જીવન વિજ્ઞાન ક્ષેત્રની પ્રારંભિક સ્ટાર્ટઅપ્સને વ્યાપક સપોર્ટ આપવાની સંસ્થાની ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે STBI ફંડિંગ સંસ્થાઓ સાથે ગ્રાન્ટ પ્રસ્તાવ તૈયાર કરે છે, IITGN જેવા શૈક્ષણિક ભાગીદારો સાથે સંયુક્ત પ્રોજેક્ટ અને સહ-ઇન્ક્યુબેશન શરૂ કરે છે, તેમજ સ્ટાર્ટઅપ્સને ઇન્ક્યુબેશન સ્પેસ, પરીક્ષણ સુવિધાઓ, માર્ગદર્શન અને IP અને લાઈસન્સિંગ સપોર્ટ પૂરો પાડે છે. આ પ્રસંગમાં IITGNના તાજેતરના ‘ઔદ્યોગિક ક્ષેત્ર માટે તૈયાર કરવા માટે’ રચાયેલા અભ્યાસક્રમો, જેમ કે અંતિમ વર્ષના અંડરગ્રેજ્યુએટ્સ માટે છ મહિનાનો ક્રેડિટેડ ઇન્ટર્નશિપ અને નવતર પ્રૌદ્યોગિકી ક્ષેત્રોમાં વિવિધ એક્ઝિક્યુટિવ માસ્ટર્સ ડિગ્રી કાર્યક્રમો પણ પ્રકાશિત કરવામાં આવ્યા. કૉન્ક્લેવનું સમાપન રિસર્ચ પાર્કની મુલાકાત સાથે થયું. “ORBIT કાર્યક્રમે પુષ્ટિ કરી કે, બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં નવીનતા ત્યારે જ વિકસે છે જ્યારે શૈક્ષણિક અને ઉદ્યોગીક ક્ષેત્રના હિતધારકો સમાન ભાગીદારી સાથે જોડાય છે” એમ પ્રોફેસર સૌમ્યદીપ સેટ, IITGN ઇન્ડસ્ટ્રી કનેક્ટ ના પ્રભારીએ જણાવ્યું. આવી ભાગીદારીઓ, ભારતના સંશોધનોને દૈનિક જીવનમાં સાંકળી લેવા માટેની ઇકોસિસ્ટમ વિકસાવવામાં મદદરૂપ થશે, આર્થિક વૃદ્ધિમાં વધારો કરશે, અને દેશને વૈશ્વિક બાયોમેડિકલ ક્ષેત્રમાં નવીનતા કેન્દ્ર તરીકે સ્થાન આપશે. ORBITનું આગામી સંસ્કરણ સપ્ટેમ્બર 2025માં યોજાશે અને તેમાં ઇલેક્ટ્રિક વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

Read More »