ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (1 જુલાઈ, 2025) ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટી આપણી સમૃદ્ધ પ્રાચીન પરંપરાઓનું એક પ્રભાવશાળી આધુનિક કેન્દ્ર છે. આ ઉદ્ઘાટન માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં તબીબી શિક્ષણ અને તબીબી …
Read More »ભારતના રાષ્ટ્રપતિએ ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થાના દીક્ષાંત સમારોહને સંબોધન કર્યુ
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (30 જૂન, 2025) ઉત્તર પ્રદેશના બરેલી ખાતે ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થા (IVRI) ના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ‘ઈશાવાસ્યમ ઇદમ સર્વમ’ ના જીવન મૂલ્ય પર આધારિત આપણી સંસ્કૃતિ, બધા જીવોમાં ભગવાનની ઉપસ્થિતિ જુએ છે. આપણા દેવતાઓ અને ઋષિઓએ પ્રાણીઓ સાથે વાતચીત કરી હતી તેવી …
Read More »પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ કૅન્ટમાં રાજભાષા કાર્યશાળાનું સફળ આયોજન
પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ કૅન્ટમાં 30 જૂન 2025ના રોજ સવારે 11:00 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી રાજભાષા કાર્યશાળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનું સુચારુ સંચાલન શ્રી પી.આર. મેઘવાળ (PGT હિન્દી) દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યશાળામાં શ્રીમતી કંચનબેન દ્વારા “અલંકાર” વિષય પર વિશિષ્ટ સત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે શ્રીમતી દીપિકા દેશપાંડે દ્વારા “શબ્દો અને તેમની સમજણ” વિષય પર જ્ઞાનવર્ધક સત્ર લેવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં વિદ્યાાલયના આચાર્યશ્રી, ઉપઆચાર્યશ્રી, તમામ સ્ટાફ સભ્યો અને શિક્ષકો ઉપસ્થિત રહી હતી. હિન્દી ભાષાના પ્રભાવશાળી પ્રયોગ વિષે શીખ્યાં અને ઉપયોગી ચર્ચાઓ કરાઈ હતી. આ રીતે કાર્યશાળાએ શિક્ષણક્ષેત્રમાં ભાષાનો મહત્ત્વપૂર્ણ વારસો જાળવવાનો સંદેશ આપ્યો હતો.
Read More »મેડટેક અને બાયોમેડિકલ MSMEs, સ્ટાર્ટઅપ્સ અને મલ્ટિનેશનલ્સ IIT ગાંધીનગરના ORBIT ખાતે એકત્રિત થયા
IIT ગાંધીનગર (IITGN)એ 28મી જૂન 2025ના રોજ તેની મુખ્ય દ્વિમાસિક ઇન્ડસ્ટ્રી મીટ, ORBITનો શુભારંભ કર્યો, જેમાં માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝીસ (MSMEs), સ્ટાર્ટઅપ્સ, મલ્ટિનેશનલ કંપનીઓ અને IITGNના હિતધારકો એકત્રિત થયા હતા. આ કાર્યક્રમનો ઉદ્દેશ વ્યૂહાત્મક સહકાર, ઉદ્યોગની જરૂરિયાતોની સમજ અને ઉચ્ચ વૃદ્ધિ ધરાવતા ક્ષેત્રોમાં ટેક્નોલોજી વિકાસને આગળ વધારવાનો હતો. ORBIT (Outreach, Research, Breakthrough, Innovation, and Technology)ના પ્રથમ સંસ્કરણમાં બાયોમેડિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગના માર્ગો, ફંડિંગ મિકેનિઝમ અને નિયમન સંબંધિત પડકારો પર ચર્ચા કરવામાં આવી. ઉપરાંત, પરીક્ષણ, ઉત્પાદન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક્સેસ અને ટકાઉ ભાગીદારીમાં પડકારોનો સામનો કરવા માટે પ્રોત્સાહન, નીતિ ઘડવાની પ્રક્રિયા, અને સંરચનાત્મક પરિવર્તનની જરૂરિયાત પર પણ ચર્ચા કરવામાં આવી. પ્રતિનિધિઓનું સ્વાગત કરતા, પ્રોફેસર અમિત પ્રશાંત, ડીન, સંશોધન અને વિકાસ, એ “શૈક્ષણિક સંસ્થાનો અને ઉદ્યોગો વચ્ચેના સમય અને સંકલનના અંતરને દૂર કરવા” તેમજ વિશ્વાસના આધાર પર ભાગીદારી સ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. IITGNના ફેકલ્ટીઑ, સંસ્થાના રિસર્ચ પાર્ક, ઇનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ સેન્ટર, ઇન્ડસ્ટ્રી કનેક્ટ અને કેરિયર ડેવલપમેન્ટ સેલના હિતધારકો, MSMEs, ફાર્મા કંપનીઓ, અને સ્ટાર્ટઅપ્સના પ્રતિનિધિઓ આ સંવાદમાં જોડાયા હતા. આ ચર્ચાઓ દરમિયાન, ઉત્પાદનીકરણ, પેટન્ટિંગ અને અનુવાદી પ્રવૃત્તિઓને વેગ આપવા માટે નીતિ અને સૂચિત પ્રક્રિયાઓની જરૂરિયાત અંગે ચર્ચા કરવામાં આવી. ઉપરાંત, Zydus Lifesciences, Cadila Pharmaceuticals, Biotech Vision Care, Axio Biosolutions, IOTA Diagnostic, Salvo India, Spotdot Bioinnovations અને અન્ય દ્વારા અનેક સમસ્યા નિવેદનો રજૂ કરવામાં આવ્યા. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી તક અંગે વાત કરતાં, ડો. આનંદ એન. ભાડલકર, ડિરેક્ટર, સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર (STBI)એ આરોગ્ય અને જીવન વિજ્ઞાન ક્ષેત્રની પ્રારંભિક સ્ટાર્ટઅપ્સને વ્યાપક સપોર્ટ આપવાની સંસ્થાની ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે STBI ફંડિંગ સંસ્થાઓ સાથે ગ્રાન્ટ પ્રસ્તાવ તૈયાર કરે છે, IITGN જેવા શૈક્ષણિક ભાગીદારો સાથે સંયુક્ત પ્રોજેક્ટ અને સહ-ઇન્ક્યુબેશન શરૂ કરે છે, તેમજ સ્ટાર્ટઅપ્સને ઇન્ક્યુબેશન સ્પેસ, પરીક્ષણ સુવિધાઓ, માર્ગદર્શન અને IP અને લાઈસન્સિંગ સપોર્ટ પૂરો પાડે છે. આ પ્રસંગમાં IITGNના તાજેતરના ‘ઔદ્યોગિક ક્ષેત્ર માટે તૈયાર કરવા માટે’ રચાયેલા અભ્યાસક્રમો, જેમ કે અંતિમ વર્ષના અંડરગ્રેજ્યુએટ્સ માટે છ મહિનાનો ક્રેડિટેડ ઇન્ટર્નશિપ અને નવતર પ્રૌદ્યોગિકી ક્ષેત્રોમાં વિવિધ એક્ઝિક્યુટિવ માસ્ટર્સ ડિગ્રી કાર્યક્રમો પણ પ્રકાશિત કરવામાં આવ્યા. કૉન્ક્લેવનું સમાપન રિસર્ચ પાર્કની મુલાકાત સાથે થયું. “ORBIT કાર્યક્રમે પુષ્ટિ કરી કે, બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં નવીનતા ત્યારે જ વિકસે છે જ્યારે શૈક્ષણિક અને ઉદ્યોગીક ક્ષેત્રના હિતધારકો સમાન ભાગીદારી સાથે જોડાય છે” એમ પ્રોફેસર સૌમ્યદીપ સેટ, IITGN ઇન્ડસ્ટ્રી કનેક્ટ ના પ્રભારીએ જણાવ્યું. આવી ભાગીદારીઓ, ભારતના સંશોધનોને દૈનિક જીવનમાં સાંકળી લેવા માટેની ઇકોસિસ્ટમ વિકસાવવામાં મદદરૂપ થશે, આર્થિક વૃદ્ધિમાં વધારો કરશે, અને દેશને વૈશ્વિક બાયોમેડિકલ ક્ષેત્રમાં નવીનતા કેન્દ્ર તરીકે સ્થાન આપશે. ORBITનું આગામી સંસ્કરણ સપ્ટેમ્બર 2025માં યોજાશે અને તેમાં ઇલેક્ટ્રિક વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
Read More »આરઆરયુએ શરૂ કરી પેપરલેસ પરીક્ષા, વિકાસની દિશામાં વધુ એક હરણફાળ
રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી (આરઆરયૂ)એ આજે તેના ગુજરાત કેમ્પસમાં પેપરલેસ પરીક્ષા પ્રણાલી લાગુ કરી હોવાનું એક ક્રાંતિકારી પગલું જાહેર કર્યું છે. યુનિવર્સિટીએ ચારુસેટ યુનિવર્સિટી, ચાંગાના સહકારથી વિવિધ કાર્યક્રમોમાં પેપરલેસ પરીક્ષાઓ યોજી છે. આ પર્યાવરણમૈત્રી પરીક્ષા પ્રક્રિયામાં કુલ 1,341 વિદ્યાર્થીએ ભાગ લીધો, જે યુનિવર્સિટીની નવીન્ય અને પર્યાવરણ માટેની જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. આ પહેલ યુનિવર્સિટીના શૈક્ષણિક માળખામાં પર્યાવરણીય સ્થિરતા અને કામગીરીની અસરકારકતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગથિયું છે. પેપરલેસ પરીક્ષા પદ્ધતિનો અમલ પર્યાવરણીય જવાબદારી અને શૈક્ષણિક પ્રક્રિયાઓના સુધારા પ્રતિ આરઆરયૂની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. યુનિવર્સિટીનો હેતુ માત્ર પર્યાવરણ પર પડટી વિપરીત અસરને ઓછું કરવાનો નથી, પરંતુ પરીક્ષાની પ્રક્રિયા ઝડપી બનાવવી અને પરિણામોની ઝડપી જાહેરાત સુનિશ્ચિત કરવાનો પણ છે. આ નવીન પગલાંને કારણે ઉત્તરમૂલ્યાંકન અને પરિણામ પ્રક્રિયામાં લાગતો સમય નોંધપાત્ર રીતે ઘટશે, જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને લાભ થશે. આ ટેક્નોલોજી અપનાવવાના પરિણામે આરઆરયૂએ સાત કાર્યદિવસની અંદર પરિણામ જાહેર કર્યું છે. ચારુસત યુનિવર્સિટી, ચાંગા સાથેનો સહકાર શિક્ષણક્ષેત્રે સંયુક્ત નવીનતાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પેપરલેસ પ્રણાલીમાં પરિવર્તનથી અનેક લાભ મળવાની શક્યતા છે, જેમ કે, કાગળના વપરાશમાં ઘટાડો, જે પર્યાવરણીય સ્થિરતાને વધારશે, ઉત્તરમૂલ્યાંકનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થવાની, પરિણામ વહેલાં જાહેર કરવા માટે,પરીક્ષા પદ્ધતિમાં વધુ સુરક્ષા અને ડેટા મેનેજમેન્ટની શક્યતા. યુનિવર્સિટી તમામ વિદ્યાર્થીઓને સરળ અને કાર્યક્ષમ પરીક્ષા અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છે. “અમે પેપરલેસ પરીક્ષા પદ્ધતિ શરૂ કરીને ગૌરવ અનુભવી રહ્યાં છીએ,” આરઆરયૂના પ્રવક્તાએ કહ્યું. “આ પહેલ અમારા વિદ્યાર્થીઓ અને પર્યાવરણની સુખાકારી માટે ટેક્નોલોજી અપનાવવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અમે આત્મવિશ્વાસ સાથે કહી શકીએ કે આ નવી પદ્ધતિ પરીક્ષાનો અનુભવ વધુ સારો અને યાદગાર બનાવશે અને એક વધુ સુરક્ષિત ભવિષ્યમાં નોધપાત્ર યોગદાન આપશે.”
Read More »કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે કર્ણાટકમાં આદિચુંચનગિરી યુનિવર્સિટી (ACU) ના બેંગલુરુ કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે કર્ણાટકમાં આદિચુંચનગિરી યુનિવર્સિટી (ACU)ના બેંગલુરુ કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પોતાના સંબોધનમાં, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે આપણી સંસ્કૃતિનો મૂળ મુદ્દો એ છે કે સર્વજન હિતાય, સર્વજન સુખાય એટલે કે આપણે આપણા સિવાય સમગ્ર સમાજ વિશે વિચારવું …
Read More »રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયે સફળતાપૂર્વક આયોજિત કર્યું પ્રથમ આંતરરાષ્ટ્રીય ડિજિટલ માનસિક આરોગ્ય અને કલ્યાણ સંમેલન
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ના સ્કૂલ ઓફ બિહેવિયરલ સાયન્સીસ એન્ડ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન્સ (SBSFI) દ્વારા “સોશિયલ મીડિયા અને કિશોરોના માનસિક આરોગ્ય” વિષય પર આધારિત પ્રથમ આંતરરાષ્ટ્રીય ડિજિટલ માનસિક આરોગ્ય અને કલ્યાણ સંમેલન – એકદિવસીય આંતરરાષ્ટ્રીય ઑનલાઇન CRE કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો. આ સંમેલનમાં ભારત, કેનેડા, ચીન, અમેરિકા અને નેપાળ સહિત 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 500થી વધુ નિષ્ણાતો, શિષ્યો અને વ્યવસાયિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઊમટેલા સાથ …
Read More »શ્રી બિરલા IIT જોધપુર ખાતે લેક્ચર હોલ – II નું ઉદ્ઘાટન કરશે અને વિજ્ઞાન-પ્રમોશન પ્રવૃત્તિઓમાં ભાગ લેશે
લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા 09 જૂન (સોમવાર)ના રોજ એક દિવસીય મુલાકાત માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) જોધપુરની મુલાકાત લેશે. આ પ્રસંગે, શ્રી બિરલા સંસ્થામાં નવનિર્મિત લેક્ચર હોલ કોમ્પ્લેક્સ – IIનું ઉદ્ઘાટન કરશે. રાજ્યસભા સાંસદ શ્રી રાજેન્દ્ર ગેહલોત, સામાજિક કાર્યકર શ્રી નિંબારામ, પ્રખ્યાત અવકાશ વૈજ્ઞાનિક અને IIT જોધપુરના બોર્ડ ઓફ ગવર્નર્સના અધ્યક્ષ શ્રી એ.એસ. કિરણ કુમાર, IIT જોધપુરના ડિરેક્ટર …
Read More »કેન્દ્ર સરકારે કોચિંગ સેન્ટરોમાંથી રિફંડ દ્વારા શિક્ષણ ક્ષેત્રના ઉમેદવારો અને વિદ્યાર્થીઓ માટે રૂ. 1.56 કરોડની રાહત મેળવી
– સિવિલ સર્વિસીસ, એન્જિનિયરિંગ કોર્સ અને અન્ય પ્રોગ્રામના 600થી વધુ ઉમેદવારો અને વિદ્યાર્થીઓએ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (એનસીએચ) દ્વારા ફરિયાદ દાખલ કરીને કોચિંગ સેન્ટર્સ પાસેથી રિફંડનો સફળતાપૂર્વક દાવો કર્યો હતો. – ગ્રાહક બાબતોના વિભાગ (ડીઓસીએ)એ કોચિંગ સેન્ટરોને વિદ્યાર્થી-કેન્દ્રિત અભિગમ અપનાવવા અને ઉમેદવારો અને વિદ્યાર્થીઓ પાસેથી રિફંડના દાવાને નકારી કાઢવાની અયોગ્ય પ્રથાનો અંત લાવવા નિર્દેશ આપ્યો છે ભારત સરકારના …
Read More »એમ સી મેરી કોમ, અવની લેખારા, અને સુહાસ યથિરાજે પરીક્ષા પે ચર્ચા 2025ના 7મા એપિસોડમાં ભાગ લીધો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા 2025ના ઉદ્ઘાટન સમારંભમાં શરૂ કરેલી ઊંડાણપૂર્વકની ચર્ચાઓને આગળ ધપાવતા, આજે પ્રસારિત થયેલા સાતમા એપિસોડમાં આઇકોનિક રમતવીર એમ સી મેરી કોમ, અવની લેખારા અને સુહાસ યથિરાજ સામેલ થયા હતા. તેમણે શિસ્ત દ્વારા ધ્યેય નિર્ધારણ, સ્થિતિસ્થાપકતા અને તણાવ વ્યવસ્થાપન વિશે વાત કરી હતી. તેઓએ તેમના પોતાના જીવનના વ્યક્તિગત ટુચકાઓ અને તેઓએ તેમના …
Read More »
Matribhumi Samachar Gujarati