Friday, February 06 2026 | 03:05:45 PM
Breaking News

National

રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ વિભાગે ડિજિટલ ઈન્ડિયા હેઠળ ‘સંસ્થાઓ અને અર્થતંત્રના ડિજિટલ પરિવર્તન’ પર ક્ષમતા નિર્માણ કાર્યક્રમનું આયોજન કર્યું

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) તેના ડિજિટલ ઈન્ડિયા વિઝન હેઠળ ડિજિટલ ગવર્નન્સમાં તેની ક્ષમતા નિર્માણ પહેલોની યોજના બનાવે છે અને તેનો અમલ કરે છે. આ સંદર્ભમાં, રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ વિભાગ (NeGD), MeitY એ 11 થી 14 ઓગસ્ટ, 2025 દરમિયાન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ ખાતે દેશભરના કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ માટે ‘સંસ્થાઓ અને અર્થતંત્રના ડિજિટલ પરિવર્તન’ પર 4-દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં …

Read More »

રાષ્ટ્રીય કુદરતી ખેતી મિશન

મુખ્ય મુદ્દાઓ રાષ્ટ્રીય કુદરતી ખેતી મિશન (NMNF) એ પરંપરાગત જ્ઞાન પર આધારિત રસાયણમુક્ત, ઇકોસિસ્ટમ–આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે નવેમ્બર 2024માં શરૂ કરાયેલ એક સ્વતંત્ર કેન્દ્રિય પ્રાયોજિત યોજના છે. આ મિશનનો હેતુ ₹2,481 કરોડના કુલ ખર્ચ સાથે 15,000 ક્લસ્ટરો દ્વારા 7.5 લાખ હેક્ટર જમીનને આવરી લેવાનો છે અને 1 કરોડ ખેડૂતોને સેવા આપશે. ખેડૂતોને છેલ્લા માઇલ સુધી ઇનપુટ ડિલિવરી અને …

Read More »

ભારતીય નૌકાદળ બેન્ડ કોન્સર્ટ – “ઓપરેશન સિંદૂર 25”

12 ઓગસ્ટની સાંજે દમણનું ઐતિહાસિક લાઇટહાઉસ એમ્ફીથિયેટર દેશભક્તિના સૂરોથી ગુંજી ઉઠ્યું હતું, જ્યારે ભારતીય નૌકાદળના બેન્ડ કોન્સર્ટ ‘ઓપરેશન સિંદૂર 25’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 2000થી વધુ નાગરિકોએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો, જેમાં નૌકાદળના INS કુંજલી બેન્ડે તેના અદ્ભુત પ્રદર્શનથી બધાનું દિલ જીતી લીધું હતું. …

Read More »

નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં 210 પંચાયત નેતાઓ ખાસ મહેમાનો તરીકે હાજરી આપશે

પંચાયતી રાજ મંત્રાલય (MoPR) 15 ઓગસ્ટના રોજ નવી દિલ્હી સ્થિત લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 210 પંચાયત પ્રતિનિધિઓની વિશેષ અતિથિ તરીકે યજમાન બનાવશે. તેમના જીવનસાથી અને નોડલ અધિકારીઓ સાથે કુલ 425 સહભાગીઓ ઉજવણીમાં જોડાશે. આ વિશેષ અતિથિઓ માટે 14 ઓગસ્ટ 2025ના રોજ નવી દિલ્હીમાં ઔપચારિક સન્માન સમારોહ યોજાશે. કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે …

Read More »

કેન્દ્રીય મંત્રીમંડળે ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશમાં રૂ. 4600 કરોડના ખર્ચે સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમોને મંજૂરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ વધુ ચાર સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. ભારતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં મોમેન્ટમનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં છ મંજૂર પ્રોજેક્ટ પહેલાથી જ અમલીકરણના વિવિધ તબક્કામાં છે. આજે મંજૂર કરાયેલા આ ચાર પ્રસ્તાવો SiCSem, કોન્ટિનેન્ટલ ડિવાઇસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (CDIL), 3D ગ્લાસ સોલ્યુશન્સ ઇન્ક. અને એડવાન્સ્ડ …

Read More »

પ્રધાનમંત્રીએ વિશ્વ સંસ્કૃત દિવસની શુભેચ્છા પાઠવી, સંસ્કૃત વારસાના જતન અને પ્રોત્સાહન માટેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રાવણ પૂર્ણિમાના અવસરે વિશ્વ સંસ્કૃત દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સંસ્કૃતને “જ્ઞાન અને અભિવ્યક્તિનો શાશ્વત સ્ત્રોત” ગણાવતા, પ્રધાનમંત્રીએ વિવિધ ક્ષેત્રોમાં તેના કાયમી પ્રભાવ પર ભાર મૂક્યો હતો. શ્રી મોદીએ વિશ્વભરના વિદ્વાનો, વિદ્યાર્થીઓ અને ઉત્સાહીઓના સમર્પણની પ્રશંસા કરી જેઓ સંસ્કૃત શીખવા, શીખવવા અને લોકપ્રિય બનાવવામાં અવિરતપણે રોકાયેલા છે. તેમણે ભાર મૂક્યો કે છેલ્લા દાયકામાં, સરકારે …

Read More »

સંચાર સાથી મોબાઇલ એપ લોન્ચ થયાના લગભગ 6 મહિનામાં 50 લાખનો આંકડો વટાવી ગયો

દૂરસંચાર વિભાગ (DoT) ની સંચાર સાથી પહેલે ટેલિકોમ સુરક્ષા વધારવા અને નાગરિકોને સશક્ત કરવામાં નોંધપાત્ર અસર કરી છે. લોન્ચ થયા પછી, મોબાઇલ એપ છ મહિનામાં 50 લાખથી વધુ ડાઉનલોડ્સ મેળવી ચૂકી છે. ભારતની વ્યાપક ભાષાકીય અને પ્રાદેશિક વિવિધતાને ધ્યાનમાં રાખીને, DoT એ અંગ્રેજી, હિન્દી અને 21 પ્રાદેશિક ભાષાઓને સમર્થન આપીને એપ્લિકેશનની પહોંચનો વિસ્તાર કર્યો છે. છેતરપિંડીના કોલ્સ અને …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ‘લેબ ટુ લેન્ડ’ સહિત અનેક અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે- શ્રી શિવરાજ સિંહ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના પુસામાં ભારત રત્ન ડૉ. એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે સમારોહની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે શ્રી શિવરાજ સિંહે જીવનના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે બીજાઓ માટે …

Read More »

INS અજય અને INS નિસ્તાર માટે સ્ટીલ સપ્લાય કરીને SAIL સંરક્ષણ સ્વનિર્ભરતાને મજબૂત બનાવે છે

ભારતની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL), ભારતીય નૌકાદળના બે મહત્વપૂર્ણ જહાજો, INS ‘અજય’ અને INS ‘નિસ્તાર’ માટે ખાસ સ્ટીલ સપ્લાય કરીને દેશના સંરક્ષણ સ્વદેશીકરણ પ્રયાસોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ બે જહાજોમાંથી, INS ‘અજય’ ગત વર્ષે જુલાઈ મહિના દરમિયાન ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ (GRSE) દ્વારા લોન્ચ કરવામાં આવ્યું …

Read More »

કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ કરેલ પ્રયાસોનું પરિણામ; પોરબંદર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાની રેલવે સુવિધામાં થશે નોંધપાત્ર વધારો

ભારતીય રેલવે દ્વારા પોરબંદર, રાજકોટ અને જૂનાગઢમાં રેલવે સુવિધાઓના વિસ્તરણ અને સુધારણા માટે આજે અનેક નવી યોજનાઓ અને ટ્રેનોની જાહેરાત કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને 11-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા ભાવનગરથી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવાનો અને આ …

Read More »