મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં આપ સૌનું સ્વાગત છે, અભિનંદન છે. આપ સૌ આ સમયે યોગની ઉર્જા અને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની સ્મૃતિઓથી ભરેલા હશો. આ વખતે પણ 21 જૂનના દિવસે દેશ અને દુનિયાના કરોડો લોકોએ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’માં ભાગ લીધો. તમને યાદ છે, આજથી દસ વર્ષ પહેલા તેની શરૂઆત થઈ હતી. હવે …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આચાર્ય શ્રી વિદ્યાનંદજી મહારાજની શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આચાર્ય શ્રી વિદ્યાનંદજી મહારાજના શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્ર ભારતની આધ્યાત્મિક પરંપરામાં એક મહત્વપૂર્ણ પ્રસંગ જોઈ રહ્યું છે, જેમાં આચાર્ય શ્રી વિદ્યાનંદજી મુનિરાજના શતાબ્દી સમારોહની પવિત્રતા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પૂજ્ય …
Read More »પ્રધાનમંત્રીએ સંવિધાન હત્યા દિવસ પર લોકશાહીના રક્ષકોને શ્રદ્ધાંજલિ અર્પી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈમરજન્સીના 50 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે દેશના ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોમાંનુ એક ગણાવતા લોકશાહીના રક્ષણ માટે ઉભા રહેલા અસંખ્ય ભારતીયોને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બંધારણીય મૂલ્યો પરના ગંભીર હુમલાને યાદ કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે – …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચેની ઐતિહાસિક વાતચીતના શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ભારતના બે મહાન આધ્યાત્મિક અને નૈતિક નેતાઓ, શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચેના ઐતિહાસિક વાર્તાલાપના શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ તેમની આદરપૂર્ણ શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે આજે આ સ્થળ દેશના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ક્ષણનું સાક્ષી બની રહ્યું …
Read More »પ્રધાનમંત્રીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે પ્રદેશની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે વાત કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈરાનના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન સાથે પ્રદેશની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે વિગતવાર વાતચીત કરી. આદાન-પ્રદાન દરમિયાન, પ્રધાનમંત્રીએ તાજેતરના તણાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. સંવાદ અને રાજદ્વારીના મહત્વ પર ભાર મૂકતા, શ્રી મોદીએ પુનરોચ્ચાર કર્યો કે લાંબા ગાળાની પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતા સુનિશ્ચિત કરવા …
Read More »પ્રધાનમંત્રીએ યોગ ચળવળને મજબૂત બનાવવામાં આંધ્રપ્રદેશની યોગઆંધ્ર પહેલની પ્રશંસા કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના લોકોની યોગને તેમના રોજિંદા જીવનમાં સામેલ કરવાની પ્રેરણાદાયક પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી, જેનાથી આરોગ્ય અને તંદુરસ્તી માટેની રાષ્ટ્રવ્યાપી ચળવળને વધુ વેગ મળ્યો. શ્રી મોદીએ ગઈકાલે વિશાખાપટ્ટનમમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દરમિયાન યોગઆંધ્ર પહેલને રાજ્યના પાયાના સ્તરે ઉત્સાહ અને સક્રિય સમર્થનની પણ પ્રશંસા કરી હતી. ગિનિસ …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સંબોધન કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IYD) કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું અને યોગ સત્રમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ ભારત અને વિશ્વભરના લોકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ભાર મૂક્યો કે આ વર્ષે 11મો પ્રસંગ છે જ્યારે વિશ્વ 21 જૂને સામૂહિક રીતે યોગ કરવા માટે એકત્ર થયું છે. તેમણે કહ્યું કે યોગનો સાર “એક થવું” છે અને યોગે વિશ્વને કેવી રીતે એક કર્યું છે તે જોવું પ્રોત્સાહક છે. છેલ્લા …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના સિવાનમાં 5,200 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના સિવાનમાં 5,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. ઉપસ્થિત સૌને શુભેચ્છા પાઠવતા, પ્રધાનમંત્રીએ બાબા મહેન્દ્ર નાથ અને બાબા હંસ નાથને શ્રદ્ધાંજલિ આપી અને સોહગરા ધામની પવિત્ર ઉપસ્થિતિનું આહ્વાન કર્યું હતું. તેમણે મા થાવે ભવાની અને મા અંબિકા ભવાનીને પણ વંદન કર્યા …
Read More »ભારત – ક્રોએશિયાના નેતાઓનું નિવેદન
ક્રોએશિયા પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી આન્દ્રેજ પ્લેન્કોવિકના આમંત્રણ પર, ભારતીય પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ 18 જૂન 2025નાં રોજ ક્રોએશિયાની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ બંને દેશો વચ્ચે ઉચ્ચ-સ્તરીય આદાન-પ્રદાનની વધતી ગતિને મજબૂત બનાવવા માટે ભારતીય પ્રધાનમંત્રીની ક્રોએશિયાની પ્રથમ મુલાકાત હતી. પ્રધાનમંત્રી પ્લેન્કોવિક અને પ્રધાનમંત્રી મોદીએ દ્વિપક્ષીય સંબંધો, ભારત-EU વ્યૂહાત્મક ભાગીદારી અને બહુપક્ષીય મંચ પર સહયોગને વધુ આગળ વધારવા …
Read More »પ્રધાનમંત્રી 20 થી 21 જૂન દરમિયાન બિહાર, ઓડિશા અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 થી 21 જૂન દરમિયાન બિહાર, ઓડિશા અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે. તેઓ 20 જૂને બિહારના સિવાનની મુલાકાત લેશે અને બપોરે 12 વાગ્યે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ, તેઓ ઓડિશાના ભુવનેશ્વરની મુલાકાત લેશે અને સાંજે 4:15 વાગ્યે ઓડિશા રાજ્ય સરકારના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાજ્ય સ્તરના સમારોહની અધ્યક્ષતા …
Read More »
Matribhumi Samachar Gujarati