Monday, July 27 2026 | 04:44:13 PM
Breaking News

પીએમ નરેન્દ્ર મોદીએ યુકેના મહામહિમ કિંગ ચાર્લ્સ ત્રીજા સાથે વાતચીત કરી

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​યુનાઇટેડ કિંગડમના મહામહિમ કિંગ ચાર્લ્સ ત્રીજા સાથે વાત કરી.

બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોને યાદ કરીને, બંનેએ ભારત અને યુકે વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.

તેઓએ કોમનવેલ્થ ઓફ નેશન્સ અને સમોઆમાં તાજેતરમાં પૂર્ણ થયેલ કોમનવેલ્થ હેડ ઓફ ગવર્મેન્ટ મીટીંગ અંગે મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું.

ક્લાઈમેટ એક્શન અને સ્થિરતા સહિત પરસ્પર હિતના અનેક વિષયો પર પણ ચર્ચાઓ થઈ હતી. પ્રધાનમંત્રીએ આ મુદ્દાઓ પર મહામહિમની સતત હિમાયત અને પહેલ માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી અને તેમને ભારત દ્વારા હાથ ધરવામાં આવેલી બહુવિધ પહેલ વિશે માહિતી આપી હતી.

તેઓ બંનેએ ક્રિસમસ અને નવા વર્ષના આગામી તહેવારોના પ્રસંગો પર શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું.

પ્રધાનમંત્રીએ રાજાને તેમના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે શુભેચ્છાઓ પાઠવી.

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

ઐતિહાસિક ક્ષણ: સેશેલ્સના 50મા સ્વતંત્રતા દિવસ પર મુખ્ય અતિથિ બન્યા પીએમ નરેન્દ્ર મોદી; ભારત સાથેના સંબંધોના પણ 50 વર્ષ પૂર્ણ

વર્ષ 2026 ભારત અને સેશેલ્સના દ્વિપક્ષીય સંબંધોમાં સુવર્ણ અક્ષરે લખાશે. સેશેલ્સના રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મિનીના …