Wednesday, December 10 2025 | 10:37:17 AM
Breaking News

National

ભારતીય સ્ટેટિસ્ટિકલ સર્વિસના પ્રોબેશનર્સે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

ભારતીય આંકડાકીય સેવા (ISS) પ્રોબેશનર્સ (2024 બેચ) ના એક ગ્રુપે આજે (14 જાન્યુઆરી, 2025) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને સાથે મુલાકાત કરી હતી. પ્રોબેશનરોને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આંકડાકીય સાધનો અને માત્રાત્મક તકનીકો નીતિગત નિર્ણયો માટે અનુભવ આધારિત પાયો પૂરો પાડીને અસરકારક શાસનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સરકાર આરોગ્ય, શિક્ષણ, વસ્તીનું કદ અને રોજગાર સહિત અન્ય બાબતો પર ડેટા …

Read More »

પર્યટન મંત્રાલયે મહાકુંભ 2025ને વૈશ્વિક પર્યટન કેન્દ્ર તરીકે પ્રોત્સાહન આપવા માટે મુખ્ય પહેલોનું અનાવરણ કર્યું

ભારત સરકારનું પર્યટન મંત્રાલય મહાકુંભ 2025ને માત્ર આધ્યાત્મિક મેળાવડા માટે જ નહીં પરંતુ વૈશ્વિક પર્યટન માટે પણ એક ઐતિહાસિક આયોજન બનાવવા માટે તૈયાર છે. આ મહત્ત્વપૂર્ણ પ્રસંગની ઉજવણી કરવા માટે મંત્રાલય સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે કેટલીક પહેલો હાથ ધરી રહ્યું છે. મહાકુંભ વિશ્વનો સૌથી મોટો અને સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક સમુદાય છે, જે દર 12 વર્ષે ભારતમાં ચારમાંથી એક સ્થળે યોજાય છે. મહાકુંભ-2025, જે પૂર્ણ કુંભ પણ કહેવાય છે, તે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી, 2025 સુધી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાવા જઈ રહ્યો છે. દુનિયાભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ અને યાત્રાળુઓને આકર્ષશે એવી અપેક્ષા ધરાવતી આ મેગા ઇવેન્ટ ભારતની સાંસ્કૃતિક, આધ્યાત્મિક વિરાસત અને પ્રવાસન ક્ષેત્રની સંભવિતતાને પ્રદર્શિત કરવાની વિશિષ્ટ તક પ્રદાન કરે છે. પ્રવાસન મંત્રાલય દ્વારા મહાકુંભમાં 5000 ચોરસ ફૂટની વિશાળ જગ્યામાં ઇન્ક્રેડિબલ ઇન્ડિયા પેવેલિયન બનાવવામાં આવી રહ્યું છે, જે વિદેશી પ્રવાસીઓ, વિદ્વાનો, સંશોધકો, ફોટોગ્રાફર્સ, પત્રકારો, પ્રવાસી સમુદાય, ભારતીય પ્રવાસીઓ વગેરેને સુવિધા પ્રદાન કરશે. આ પેવેલિયન મુલાકાતીઓને એક અનોખો અનુભવ પ્રદાન કરશે, જેમાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને કુંભમેળાનાં મહત્ત્વને પ્રદર્શિત કરવામાં આવશે. આ પેવેલિયનમાં દેખો અપના દેશ પીપલ્સ ચોઇસ પોલ પણ હશે, જેમાં મુલાકાતીઓ ભારતમાં તેમના મનપસંદ પર્યટન સ્થળો માટે મતદાન કરી શકશે. મહાકુંભમાં ભાગ લેનારા વિદેશી પ્રવાસીઓ, પ્રભાવશાળી વ્યક્તિઓ, પત્રકારો અને ફોટોગ્રાફરોની વિશિષ્ટ જરૂરિયાતોને પહોંચી વળવા માટે પર્યટન મંત્રાલયે એક સમર્પિત ટોલ-ફ્રી ટૂરિસ્ટ ઇન્ફોલાઇન (1800111363 અથવા 1363)ની સુવિધા ઊભી કરી છે. અંગ્રેજી અને હિન્દી ઉપરાંત ટોલ ફ્રી ઇન્ફોલાઇન હવે દસ (10) આંતરરાષ્ટ્રીય ભાષાઓ અને તમિલ, તેલુગુ, કન્નડ, બંગાળી, આસામી અને મરાઠી સહિતની ભારતીય સ્થાનિક ભાષાઓમાં પણ કામ કરી રહી છે. આ સેવા આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ માટે અનુભવને સરળ અને આનંદદાયક બનાવવા માટે સહાય, માહિતી અને માર્ગદર્શન પ્રદાન કરશે. મંત્રાલયે આગામી મહાકુંભ-2025 વિશે ચર્ચા જગાવવા માટે એક મોટું સોશિયલ મીડિયા અભિયાન શરૂ કર્યું છે. લોકોને આ ઇવેન્ટમાંથી તેમના અનુભવો અને ક્ષણો શેર કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે #Mahakumbh2025 અને #SpiritualPrayagraj જેવા વિશેષ હેશટેગ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા સ્પર્ધાઓ, આઇટીડીસી, યુપી ટૂરિઝમ અને અન્ય સંસ્થાઓ સાથેની સહયોગી પોસ્ટ, આ કાર્યક્રમની દૃશ્યતાને વધારશે અને લોકોને આ આધ્યાત્મિક ઉત્સવને નિહાળવા આમંત્રણ આપશે. પર્યટન મંત્રાલયે ઉત્તર પ્રદેશ સ્ટેટ ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (યુપીએસટીડીસી), આઇઆરસીટીસી અને આઇટીડીસી જેવા મુખ્ય પ્રવાસન હિતધારકો સાથે મળીને અનેક પ્રકારના ક્યુરેટેડ ટૂર પેકેજીસ અને લક્ઝરી આવાસના વિકલ્પો પ્રદાન કરશે. આઇટીડીસીએ પ્રયાગરાજના ટેન્ટ સિટીમાં 80 લક્ઝરી આવાસ બનાવ્યા છે, જ્યારે આઇઆરસીટીસી યાત્રાળુઓ અને પ્રવાસીઓના ધસારાને સમાવવા માટે લક્ઝરી ટેન્ટ પણ પ્રદાન કરી રહ્યું છે. આ પેકેજ ડિજિટલ બ્રોશરમાં ઉપલબ્ધ થશે, જેને વધુને વધુ પ્રચાર માટે ભારતીય મિશનો અને ઇન્ડિયા ટૂરિઝમ ઓફિસોમાં વ્યાપકપણે પ્રસારિત કરવામાં આવ્યા છે. મહાકુંભમાં ભાગ લેનારા પ્રવાસીઓ માટે અવિરત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે પ્રવાસન મંત્રાલયે ભારતભરના અનેક શહેરોમાંથી પ્રયાગરાજ સાથે હવાઈ જોડાણને વધારવા માટે એલાયન્સ એર સાથે ભાગીદારી કરી છે. તેનાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ સહેલાઈથી પહોંચી શકશે, જેથી તેઓ આ કાર્યક્રમમાં સરળતા અને અનુકૂળતા સાથે પહોંચી શકશે. આ દુર્લભ અવસરનો લાભ …

Read More »

ભારતીય રેલવે યોગ્ય મુસાફરો માટે ટિકિટની યોગ્ય પહોંચ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે અને લોકોને રેલવે તંત્રની અખંડિતતાને સુરક્ષિત રાખવા માટે ગેરરીતિઓની જાણ કરવા વિનંતી કરે છે

રેલવે પ્રોટેક્શન ફોર્સના ડાયરેક્ટર જનરલ શ્રી. મનોજ યાદવે કહ્યું કે, “માનનીય સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ચુકાદો યોગ્ય રેલવે મુસાફરોના અધિકારોની રક્ષામાં એક સીમાચિહ્નરૂપ નિર્ણય છે. અપ્રમાણિક તત્ત્વો દ્વારા ટિકિટિંગ સિસ્ટમના દુરુપયોગને દૂર કરીને આ ચુકાદો ભારતીય રેલવેની ટિકિટિંગ પ્રક્રિયાની પારદર્શકતા અને વાજબીપણું જાળવવાની અમારી કટિબદ્ધતાની પુષ્ટિ કરે છે. આરપીએફ તમામ કાયદેસર મુસાફરો માટે ટિકિટ સુલભ થાય તે …

Read More »

મહાકુંભ ખાતે કલાગ્રામ ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને વારસો પ્રદર્શિત કરશે

 ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી, 2025 સુધી આયોજિત થનારા આ મહાકુંભમાં સમગ્ર વિશ્વમાંથી 40 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ આવશે. આધ્યાત્મિકતા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાનો આ પવિત્ર સંગમ ફરી એક વાર ભારતની એકતા અને સમર્પણની દ્રઢ ભાવનાને પ્રતિપાદિત કરશે. યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે માન્યતા પ્રાપ્ત મહા કુંભ એ માત્ર એક ઘટના જ નથી, પરંતુ એક ગહન અનુભવ છે, જે સરહદો ઓળંગીને વિશ્વભરના લોકોને એક કરે …

Read More »

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025માં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ, શ્રી મનસુખ માંડવિયાજી, ધર્મેન્દ્ર પ્રધાનજી, જયંત ચૌધરીજી, રક્ષા ખડસેજી, સંસદ સભ્યો, અન્ય મહાનુભાવો અને દેશના ખૂણે ખૂણેથી અહીં ઉપસ્થિત મારા યુવા મિત્રો! આજે, ભારતના યુવાનોની ઊર્જા સાથે, આ ભારત મંડપમ પણ ઊર્જાથી ભરેલું અને ઊર્જાવાન બન્યું છે. આજે આખો દેશ સ્વામી વિવેકાનંદને …

Read More »

હજ 2025 માટે બીજી પ્રતિક્ષા યાદી જાહેર

ભારત સરકારના લઘુમતી બાબતોના મંત્રાલય હેઠળ કાર્યરત ભારત હજ સમિતિએ હજ 2025 માટે બીજી પ્રતિક્ષા યાદી જાહેર કરવાની જાહેરાત કરી છે. વિવિધ રાજ્યોના 3,676 અરજદારોને કામચલાઉ બેઠકો ફાળવવામાં આવી છે (પરિશિષ્ટ-1 મુજબ). 10 જાન્યુઆરી 2025ના પરિપત્ર નં. 25 મુજબ, આ અરજદારોએ 23 જાન્યુઆરી, 2025ના રોજ અથવા તે પહેલાં હજ રકમ …

Read More »

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય યુવા દિવસનાં પ્રસંગે 12 જાન્યુઆરીનાં રોજ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025માં સહભાગી થશે

સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રીય યુવા દિવસનાં પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીનાં રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીનાં ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025માં સહભાગી થશે. તેઓ સમગ્ર ભારતમાંથી 3,000 ગતિશીલ યુવા નેતાઓ સાથે જોડાશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે. વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગનો હેતુ પરંપરાગત રીતે રાષ્ટ્રીય યુવા મહોત્સવ …

Read More »

ભારતના રાષ્ટ્રપતિ 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના સમાપન સત્રમાં ઉપસ્થિત રહ્યા અને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કારો એનાયત કર્યા

ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(10 જાન્યુઆરી, 2025) ઓડિશાના ભુવનેશ્વર ખાતે 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના સમાપન સત્રમાં સંબોધન કર્યું હતું તેમજ પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કારો એનાયત કર્યા હતા. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતીય ડાયસ્પોરા આપણા દેશના શ્રેષ્ઠ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ ફક્ત આ પવિત્ર ભૂમિમાં મેળવેલા જ્ઞાન …

Read More »

ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

ઓડિશાના રાજ્યપાલ ડૉ. હરિ બાબુજી, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીદારો એસ. જયશંકરજી, જુઆલ ઓરામજી, ધર્મેન્દ્ર પ્રધાનજી, અશ્વિની વૈષ્ણવજી, શોભા કરંદલાજેજી, કીર્તિ વર્ધન સિંહજી, પવિત્રા માર્ગેરિટાજી, ઓડિશા સરકારના નાયબ મુખ્યમંત્રી કનક વર્ધન સિંહદેવજી, પ્રવતી પરિદાજી, અન્ય મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો, ભારત માતાના બધા પુત્રો અને પુત્રીઓ જેઓ વિશ્વભરમાંથી અહીં આવ્યા છે! મહિલાઓ અને સજ્જનો! ભગવાન જગન્નાથ અને ભગવાન લિંગરાજની આ …

Read More »

જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટની શરૂઆતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે જિનોમ ઇન્ડિયા પ્રોજેક્ટની શરૂઆતમાં પોતાની ટિપ્પણી કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આજે ભારતે સંશોધનનાં ક્ષેત્રમાં ઐતિહાસિક પગલું ભર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટને 5 વર્ષ પહેલાં મંજૂરી આપવામાં આવી હતી અને કોવિડ રોગચાળાના પડકારો હોવા છતાં આપણા વૈજ્ઞાનિકોએ ખંતપૂર્વક કામ કર્યું …

Read More »