शुक्रवार, अप्रैल 25 2025 | 02:28:05 PM
Breaking News
Home / अन्य समाचार / બીજી ભારત-ઓસ્ટ્રેલિયા વાર્ષિક શિખર પરિષદ

બીજી ભારત-ઓસ્ટ્રેલિયા વાર્ષિક શિખર પરિષદ

Follow us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝે 19 નવેમ્બરના રોજ રિયો ડી જાનેરોમાં G20 સમિટની સાથે સાથે 2જી ભારત-ઑસ્ટ્રેલિયા વાર્ષિક શિખર પરિષદ યોજી હતી. પ્રથમ વાર્ષિક સમિટ 10 માર્ચ 2023ના રોજ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી અલ્બેનીઝની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન યોજાઈ હતી.

પ્રધાનમંત્રીઓએ ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે તેમના સમર્થનની પુનઃ પુષ્ટિ કરી. તેઓએ સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને રોકાણ, શિક્ષણ, કૌશલ્ય અને ગતિશીલતા, પુનઃપ્રાપ્ય ઉર્જા, અવકાશ, રમતગમત અને લોકો વચ્ચેના સંબંધોના ક્ષેત્રોમાં સહકાર અંગે ચર્ચા કરી. આ પ્રસંગે સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીઓએ રિન્યુએબલ એનર્જી પાર્ટનરશિપની શરૂઆતનું પણ સ્વાગત કર્યું.

બંને પક્ષોએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું. તેઓએ આંતરરાષ્ટ્રીય કાયદાના આદરના આધારે શાંતિપૂર્ણ, સ્થિર અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે તેમની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

मोदी के बाद कौन?

– अतुल मलिकराम अगस्त 2014 को भाजपा द्वारा एक प्रेस रिलीज़ जारी कर जानकारी दी …